ગુજરાતઃ સત્તારુઢ ભાજપ પોતાના જ ગઢમાં ઘેરાઈ, 300 ભાજપીઓએ AAP જોઈન કર્યુ, સિલસિલો ચાલુ
છેલ્લા ઘણા દિવસોમાં સેંકડો ભાજપીઓએ 'કમળ'ને છોડીને હાથમાં 'ઝાડુ' પકડી લીધુ છે.
સુરતઃ ગુજરાતના નગર નિગમ તેમજ નગર પંચાયતની ચૂંટણીમાં પહેલી વાર ઉભા રહીને જીત નોંધાવનાર આમ આદમી પાર્ટી(આપ)ના હોંસલા બુલંદ છે. આમ આદમી પાર્ટી હવે અહીં સત્તારુઢ ભાજપ પર ભારે પડી રહી છે. ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને કોંગ્રેસ-એનસીપી સહિત અન્ય બધા પક્ષો તેને હરાવી શક્યા નથી પરંતુ મહાનગરપાલિકા ચૂંટણીમાં પહેલી વાર 27 સીટો જીતનાર આમ આદમી પાર્ટીએ ભાજપને પરસેવો છોડાવી દીધો. આમ આદમી પાર્ટીનુ પ્રદર્શન ચૂંટણી સુધી જ સીમિત નથી પરંતુ તે ભાજપના કાર્યકર્તાઓને પણ ખૂબ જ આકર્ષિત કરી રહ્યુ છે.

છેલ્લા ઘણા દિવસોમાં સેંકડો ભાજપીઓએ 'કમળ'ને છોડીને હાથમાં 'ઝાડુ' પકડી લીધુ છે. ઝાડુ આમ આદમી પાર્ટીની નિશાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા યોગેશ જાદવાણીનુ કહેવુ છે કે ભાજપે ગંદી રાજનીતિ કરી અને તેના કાર્યકર્તા હવે અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને અમારી સાથે જોડાઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે બે દિવસોમાં 200થી વધુ ભાજપી આમ આદમાી પાર્ટીમાં આવ્યા. સપ્તાહમાં લગભગ 300 ભાજપ કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો પાલવ પકડી ચૂક્યા છે. જાદવાણીએ કહ્યુ કે આ સિલસિલો હજુ પણ ચાલુ છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા યોગેશ જાદવાણીએ કહ્યુ કે સુરત જિલ્લામાં અમારી દમદાર એન્ટ્રી થઈ. અહીંના લોકો દિલ્લીમાં કેજરીવાલ સરકારના કામની પ્રશંસા કરે છે અને અમારી પાર્ટી પણ અહીંના લોકોની સમસ્યાઓનો અવાજ આપવામાં પાછળ નથી રહી. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આપ પાર્ટી સાથે જોડાઈ રહી છે. અમને લાગે છે કે આવનારા દિવસોમાં અન્ય ભાજપ નેતા અને પદાધિકારી પણ અમારી સાથે જોડાશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
