પારડીમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળો યોજાશે!
વલસાડ જિલ્લાના પારડી ખાતે આજ 15 ઓક્ટોબરના રોજ તાલુકાની કુમાર શાળાના મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.
વલસાડ જિલ્લાના પારડી ખાતે આજ 15 ઓક્ટોબરના રોજ તાલુકાની કુમાર શાળાના મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યોજાનાર આ ગરીબ કલ્યાણ મેળોમાં 35163 લાભાર્થીઓને કુલ 81 કરોડની સહાય ચૂકવામાં આવશે.
ગરીબો અને વંચિતોનો સર્વાંગી વિકાસ સાધવા માટે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી એક જ સ્થળ પર વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવે છે. જેના થકી ગરીબોના જીવન સ્તરમાં ધરમૂળથી બદલાવ આવી રહ્યો છે. વિવિધ યોજનાઓ હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. જેના થકી લોકો આત્મનિર્ભર બની જીવન જીવતા થયા છે.
વલસાડ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા બાબતના મંત્રી નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને ધરમપુર તાલુકાના બામટી ખાતે યોજાયો હતો. આ મેળામાં રાજ્યના 16 વિભાગ દ્વારા વિવિધ યોજના હેઠળ કુલ 84839 લાભાર્થીઓને કુલ 94 કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી. જ્યારે આજે 15 સપ્ટેમ્બરે પારડી તાલુકાના કુમાર શાળાના મેદાન પર નાણાં મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં કુલ 14 વિભાગ દ્વારા વિવિધ 95 યોજના હેઠળ કુલ 35163 લાભાર્થીઓને કુલ 81 કરોડ 07 લાખ 54 હજાર 998 રૂપિયાની સહાય આપવામાં આવશે.