Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, 33 લોકોની ધરપકડ, રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકી ઘેરી

Stone pelting at Ganesh pandal in Surat: સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન રવિવારની મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના સૈયદપુરા વિસ્તારમાં બની હતી.

સુરત પોલીસ દ્વારા પથ્થરમારો કરનારા બે લોકોની ધરપકડ કરી છે. પથ્થરમારાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

વિરોધીઓના ટોળાએ શાંતિની અપીલ કરી રહેલા સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલરને પણ ધક્કો માર્યો હતો. સ્થિતિ વણસી જતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

પોલીસે લાઠીચાર્જ કર્યો - સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, જેના પગલે અથડામણ થઈ હતી.

સુરત પોલીસે તરત જ તે બાળકોને ત્યાંથી હટાવ્યા હતા. પોલીસ તાત્કાલિક વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી. જ્યાં જરૂર હતી ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતી.

Stone pelting at Ganesh pandal in Surat

પથ્થરમારો કરનારા તમામ 6 લોકોની ધરપકડ કરાઈ - આ ઘટના અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે 6 લોકોએ સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો.

આ તમામ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહન આપવા માટે સામેલ અન્ય 27 લોકોની ધરપકડ કરી છે. સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X