Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Surat : સુરતથી વિમાન સેવાઓ બંધ થતા મુસાફરો પરેશાન, વેપારીઓમાં રોષનો માહોલ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સંચાલિત 9 સીટર વિમાન સેવા 7 જાન્યુઆરીથી બંધ કરાઈ છે. આના કારણે અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગરના મુસાફરો તથા વેપારીઓને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.

આ સેવાઓ ગુજરાત સરકારની વીજીએફ (VGF) યોજના હેઠળ એરલાઇન્સનો કરાર સમાપ્ત થતાં સ્થગિત કરાઈ છે. ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતવા છતાં સેવાઓ ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા અપાઈ નથી.

વેન્ચુરા એરલાઇન્સની વેબસાઇટ પર હાલમાં કોઈ બુકિંગ ઉપલબ્ધ ન હોવાથી ઇમરજન્સી મુસાફરો અટવાયા છે. સુરતને અન્ય શહેરો સાથે જોડતી આ મહત્વની કનેક્ટિવિટી અચાનક બંધ થતાં મુસાફરોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ સુરતના વેપારી સંગઠનો અને મુસાફરો હવે આ રૂટ પર 40 થી 70 સીટની ક્ષમતાવાળા મોટા વિમાનો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. ઉડાન યોજના હેઠળ દીવ, ભુજ અને જામનગર માટે કાર્યરત મોટી ફ્લાઈટ્સ સફળ રહી છે.

ચેમ્બર ઓફ કોમર્સની એવિએશન કમિટીએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી પ્રાદેશિક કનેક્ટિવિટી ઝડપથી પુનઃસ્થાપિત કરવા જણાવ્યું છે. તેઓ માને છે કે મોટા એરક્રાફ્ટ મુસાફરોને રાહત આપશે અને સુરતના વેપાર-ઉદ્યોગને મોટો ફાયદો કરાવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X