સુરત એરપોર્ટના નવા ટર્મિનલને ઈમિગ્રેશન સુવિધા મળી, 23 ફેબ્રુઆરીથી દુબઈની નવી ફ્લાઇટ શરૂ થશે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના 353 કરોડના નવા ટર્મિનલને હવે ઇમિગ્રેશનની સુવિધા મળી છે. આ સિવાય અન્ય સારા સમાચારમાં દુબઈની બીજી ફ્લાઈટ 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે.

સુરત એરપોર્ટ પર 2018-19માં શારજાહ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી, જે અઠવાડિયામાં બે દિવસ માટે કાર્યરત હતી. બાદમાં આ વર્ષથી તે સપ્તાહમાં પાંચ દિવસ થઈ ગઈ છે.
દુબઈની ફ્લાઈટ ડિસેમ્બર 2023માં શરૂ થઈ હતી. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા 23 ફેબ્રુઆરીથી દુબઈની બીજી ફ્લાઈટ શરૂ થઈ રહી છે. તે દર અઠવાડિયે બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરશે.
પ્રવાસીઓએ ઇમિગ્રેશન માટે જૂના ટર્મિનલ પર જવું પડતું હતું અને પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે નવા ટર્મિનલ પર આવવું પડતું હતું. હવે નવા ટર્મિનલમાં ઇમિગ્રેશન સેવા શરૂ થઈ છે.












Click it and Unblock the Notifications
