Surat: પેપરમાં લખી લવ સ્ટોરી, ગાળો અને કામસૂત્ર, પછી વિદ્યાર્થીઓના થયા આવા હાલ
Surat: પરીક્ષામાં વિદ્યર્થીઓ પાસ થવા માટે ઘણી પેપરમાં પૈસા મુકે છે, તો ઘણા લોકો પરીક્ષામાં એવું લખી દે છે, જે પ્રોફેસરોને હેરાન કરી દે છે. BCom ના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની પરીક્ષાના પેપરમાં લવ સ્ટોરી, કામસુત્રની સ્ટોરી અને પ્રિન્સિપાલ, પ્રોફેસર અને મેડમના નામ સાથે ગાળો લખી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારા છ વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે.

પરીક્ષામાં શૂન્ય માર્કસ આપવાની સાથે પેપરમાં અપશબ્દો લખનારા તમામ વિદ્યાર્થીઓને 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 6 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ ઉત્તરના કામસૂત્રની સ્ટોરી અને બીજા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની પ્રેમકથા લખી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 6 વિદ્યાર્થીઓની સુનાવણીનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને લેખિતમાં યુનિવર્સિટીની માફી માંગી હતી.
આ અંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓની માનસિક તબિયત સારી ન હોવાથી મેડિકલ ફેકલ્ટીના પ્રોફેસરોની હાજરીમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓ સ્વસ્થ હોવાનું જણાયું હતું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમે તેને લેખિતમાં માફી માંગવાની તક આપી છે. આ ઉપરાંત આવા કેસની સજામાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જેમાં હવે જો કોઈ વ્યક્તિ પરીક્ષામાં આવા અશ્લીલ શબ્દો લખશે, તો તેમણે માનસિક તંદુરસ્તીનું પ્રમાણપત્ર આપવું પડશે અને પરીક્ષા આપ્યા બાદ જ તેને ફોર્મ ભરવાની મંજૂરી આપવામાં આવશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, ઘણા વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં અપશબ્દો લખે છે અને આવા કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે. જે દર્શાવે છે કે, વિદ્યાર્થીનું માનસિક સંતુલન સારું નથી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, હવે જો કોઈ વિદ્યાર્થી અભદ્ર ભાષા લખશે, તો તેને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને મનોચિકિત્સક પાસેથી પ્રિન્સિપાલને માનસિક સ્વાસ્થ્યનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. જો આ પ્રમાણપત્ર પરીક્ષા વિભાગમાં જમા કરાવવામાં આવે તો આગામી પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકાશે.












Click it and Unblock the Notifications
