સાણંદના વીકેન્ડ હોમમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડો
સુરતવાસીઓ માટે હવાઈ મુસાફરીના સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 30 માર્ચથી શરૂ થતા સમર શેડ્યૂલમાં સુરતથી ત્રણ નવી ફ્લાઈટ્સ શરૂ થવાની શક્યતા છે.
આ નવા શિડ્યુલ અંતર્ગત સુરત એરપોર્ટને નોઈડા (જેવર), નવી મુંબઈ અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડવામાં આવશે. જેનાથી મુસાફરોની કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે.

ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા સુરતથી નોઈડા (જેવર) માટેની સેવા શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ રાત્રે 10 કલાકે સુરત આવશે અને 10:30 કલાકે નોઈડા જવા રવાના થશે.
નવી મુંબઈ માટે સ્ટાર એર દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસ ફ્લાઈટ ચલાવવાનું આયોજન છે. આ ફ્લાઈટ સવારે 10:45 વાગ્યે સુરત લેન્ડ થશે અને બપોરે 1:10 વાગ્યે ઉપડશે.
સુરત અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે પણ સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ વહેલી સવારે ઉપડશે, જેના સમય પર અત્યારે કામગીરી ચાલી રહી છે.
લગભગ ચાર વર્ષ બાદ સુરત-મુંબઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ થવાથી હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગને ફાયદો થશે. અગાઉ આ રૂટ પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હતો.
નોઈડા અને નવી મુંબઈના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સાથે જોડાણ થવાથી સુરતની ડોમેસ્ટિક કનેક્ટિવિટી મજબૂત બનશે. ભવિષ્યમાં આ રૂટ્સ ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે પણ મહત્વના સાબિત થશે.












Click it and Unblock the Notifications
