વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયો પથ્થરમારો, વાતાવરણ તણાવપૂર્ણ
Vadodara Shobha Yatra : આજે રામનવમી છે. સમગ્ર દેશમાં જોરશોરથી ઉજવણી થઇ રહી છે અને ઠેર ઠેર શોભાયાત્રા નીકળી રહી હતી. આ વચ્ચે વડોદરામાં રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રા મસ્જિદ સામેથી નીકળી હતી, ત્યારે તેના પર પથ્થરમારો થયો હતો. વડોદરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાની કોશિશ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, શોભાયાત્રા દરમિયાન ફતેપુરા વિસ્તારમાંથી પસાર થતા સમયે પથ્થરમારાની ઘટના બની હતી.

પથ્થરમારો કરીને વાહનોની તોડફોડ કરી
પથ્થરમારો કરીને અનેક વાહનોમાં તોડફોડ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે, પથ્થરમારાની ઘટના બનતા જ પોલીસ કાફલોઘટના સ્થળે પહોંચી ગયો હતો.
સ્થાનિક પોલીસનું કહેવું છે કે, હાલ કોઈ સમસ્યા નથી અને વિસ્તારમાં શાંતિ પ્રવર્તી રહી છે. પોલીસનું કહેવુંછે કે, લોકોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને કોઈને ઈજા થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહિલાઓના માથા વાગ્યા પથ્થરો
શોભાયાત્રામાં આવેલા ભક્તોએ જણાવ્યું કે, શોભાયાત્રા નીકળી રહી હતી, ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા હતા, ત્યારેઅચાનક પથ્થરમારો થતાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
પથ્થરમારો કરીને વાહનોની બારીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિક મહિલાઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેનાથી લોકો રોષે ભરાયા હતા.

બે જૂથ વચ્ચે ઘર્ષણ
વડોદરાના ડીસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ સામે બે જૂથ વચ્ચે અથડામણ થઈહતી.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે યાત્રા મસ્જિદની સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે કેટલાક લોકો એકઠા થયા હતા, પરંતુ સમજાવ્યા બાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. હાલ વિસ્તારમાં શાંતિ છે, રામનવમીની શોભાયાત્રા આગળ નીકળી છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
