લંડનના સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી રાતે 3 મૂર્તિઓની ચોરી
બ્રિટનની રાજધાની લંડનના વિલ્સડનમાં સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દિવાળીની રાતે ચોરી થઈ ગઈ.
બ્રિટનની રાજધાની લંડનના વિલ્સડનમાં સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દિવાળીની રાતે ચોરી થઈ ગઈ. ચોરી થયેલા સામાનમાં ભગવાન શ્રીકૃષ્ણની ત્રણ મૂર્તિઓ પણ શામેલ છે. આ ત્રણ મૂર્તિઓ લગભગ 50 વર્ષ જૂની છે. મંદિર સમિતિના અધ્યક્ષ કુરજીભાઈ કેરાઈએ જણાવ્યુ કે શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દિવાળીના ઉત્સવના થોડા કલાકો બાદ જ ચોરી થઈ છે. આ ત્રણ મૂર્તિઓ 1975માં મંદિરની સ્થાપના સમયથી અહીં હતી અને તેની સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે.

શુક્રવારે 9 નવેમ્બરે લગભગ 01.50 વાગે પોલિસને મંદિરમાં ચોરીની સૂચના આપવામાં આવી. મંદિરમાં શ્રીકૃષણની મૂર્તિઓ ઉપરાંત કેશ અને અન્ય સામાન પણ ચોરી થયો છે. સ્થાનિક પોલિસએ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. મંદિર પ્રશાસનનું કહેવુ છે કે હરેકૃષ્ણની મૂર્તિઓ પિત્તળની હતી. એવુ સંભવ છે કે ચોર પિત્તળને સોનુ સમજીને મૂર્તિ ચોરીને ભાગ ગયા હોય. મંદિર પ્રશાસનને આશા છે કે ચોર કદાચ મૂર્તિઓને પાછી આપી જશે કારણકે તેમની આ મૂર્તિઓ ભક્તો માટે બજારમાં મળતી કિંમતથી ઘણી વધુ કિંમતી છે. આ તરફ પોલિસે સીસીટીવી ફૂટેજ જોવાના શરૂ કરી દીધા છે અને ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે.
લંડનમાં સ્વામીનારાયણના ઘણા મંદિર છે જેમાં વિલ્સડન લેન સ્થિત મંદિર પણ એક છે જ્યાં ચોરી થઈ છે. નોર્થ લંડનમાં જ વધુ એક સ્વામીનારાયણ મંદિર છે. આ યુરોપનું સૌથી મોટુ સ્વામીનારાયણ મંદિર છે. આ મંદિરે પણ નિવેદન જાહેર કરીને મૂર્તિ ચોરીની આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના અધ્યક્ષ રાજન જેડે પણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે લંડનના મેયર સાદિખ ખાન અને સ્થાનિક પ્રશાસનને મામલાને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
