ત્રણ મિનિટનો ઝૂમ કૉલ અને CEOએ 900 કર્મચારીઓને કાઢી મૂક્યા TOP NEWS
ત્રણ મિનિટનો ઝૂમ કૉલ અને CEOએ 900 કર્મચારીઓને કાઢી મૂક્યા TOP NEWS
'ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર અમેરિકામાં રજાઓની મોસમ શરૂ થાય તે પહેલાં જ બુધવારે ન્યૂયૉર્કસ્થિત મૉર્ગેજ ધિરાણકર્તાએ ઝૂમ મિટિંગમાં 900થી વધુ કર્મચારીઓને કોઈ પૂર્વ ચેતવણી આપ્યા વિના કાઢી મૂક્યા હતા. મિટિંગ ત્રણ મિનિટ પણ ચાલી ન હતી.
એક કર્મચારીએ ટ્વિટર પર એક ટૂંકી વિડિયો ક્લિપ અપલૉડ કરી છે અને આ વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં Better.comના સીઈઓ વિશાલ ગર્ગને ટૂંકા સંદેશ સાથે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતા જોઈ શકાય છે.
સંદેશમાં બૉસે કર્મચારીઓને કહ્યું, "આ એવા સમાચાર નથી કે જેને તમે સાંભળવા માગો છો...જો તમને આ કૉલ પર બોલાવવામાં આવ્યા હોય તો તમે એ કમનસીબ ગ્રૂપનો ભાગ છો જેને છૂટા કરવામાં આવી રહ્યા છે. તમને તાત્કાલિક અસરથી નોકરીમાં છૂટા કરવામાં આવે છે."
DailyMail.co.ukના અહેવાલ પ્રમાણે, વિશાલે કહ્યુ હતું કે "મારી કારકિર્દીમાં આવું બીજી વખત કર્યુ છે અને હું આ કરવા માંગતો નહોતો. છેલ્લી વખત જ્યારે મેં આમ કર્યું, ત્યારે હું રડ્યો હતો.''
નિષ્ણાતોની પેનલમાં મતમતાંતર, વધારાનો ડોઝ હાલ નહી
https://www.youtube.com/watch?v=dx_82gwWcxc
કોરોનાને કારણે ગંભીર બીમારી અથવા ચેપના ભારે જોખમવાળા લોકોને 'બૂસ્ટર' આપવાની જરૂર છે કે નહી તે અંગે કોવિડ ઇમ્યુનાઇઝેશન પરના વૈજ્ઞાનિક સલાહકાર જૂથમાં "વધારાના ડોઝ અંગે સર્વસંમતિ ન સધાતાં" બુસ્ટર ડોઝનો નિર્ણય હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે.
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' એ એક અહેવાલમાં આ વાત કરી છે.
એક વરિષ્ઠ અધિકારીએ અખબારને જણાવ્યું કે, "રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ-એનટીએજીઆઈ દ્વારા હજુ સુધી કોઈ ભલામણ કરવામાં આવી નથી."
નિષ્ણાતો બાળકોને રસીકરણને લઈને વધુ ઉત્સુક છે, જેના માટે માર્ગદર્શિકા આ અઠવાડિયાના અંત સુધીમાં રજુ કરવામાં આવે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં વિદેશમાંથી આવેલા 100 લોકો ટ્રેસ નથી થતા
https://www.youtube.com/watch?v=dqry_-HauRY
દેશમાં ઓમિક્રૉન ચેપના વધતા કેસોની વચ્ચે મહારાષ્ટ્રમાં વિદેશથી આવેલા 295 લોકોમાંથી 100ને ટ્રેસ કરી શકાયા નથી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કલ્યાણ-ડોંબિવલી નગરપાલિકા પ્રમુખ વિજય સૂર્યવંશીએ સોમવારે જણાવ્યુ હતું કે થાણે જિલ્લાની ટાઉનશિપમાં તાજેતરમાં પરત ફરેલા 295 વિદેશીઓમાંથી 109નો પત્તો લાગ્યો નથી અને તેમને હજુ સુધી ટ્રેસ કરી શકાયા નથી.
તેમણે કહ્યુ કે આમાંથી કેટલાક લોકોના મોબાઇલ ફોન બંધ આવે છે જ્યારે કેટલાકે આપેલાં સરનામે તાળા લાગેલા છે.
સૂર્યવંશીએ જણાવ્યું હતું કે કેડીએમસી નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહી છે અને 'જોખમી' દેશોમાંથી આવતા તમામ લોકોને સાત દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે અને આઠમાં દિવસે કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવે તો જ તેમને જવા દેવામાં આવે છે.
તાજેતરમાં ડોમ્બિવલી વિસ્તારમાં ઓમિક્રૉનનો એક કેસ સામે આવ્યો છે.


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=EEAmKAbnW-Q
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
