Who Is Ali Larijani: કોણ હતા અલી લારીજાની? જેમને ઈરાને ગણાવ્યા 'શહીદ'
Who Is Ali Larijani: ઈરાનના સૌથી શક્તિશાળી રાજકીય ચહેરાઓમાંથી એક અને ત્યાંની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાનીનું ઈઝરાયલના હવાઈ હુમલામાં મોત થયું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે મંગળવારે આ વાતની પુષ્ટિ કરી છે.

એવું કહેવામાં આવતું હતું કે 'પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મૃત્યુ બાદ પડદા પાછળથી તેઓ જ ઈરાન ચલાવી રહ્યા હતા. ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અલી લારીજાનીને જલ્દી જ ઠોકી દેશે એટલે કે મારી નાખશે.'
ઈરાનની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું કે 'હુમલામાં લારીજાનીની સાથે તેમના પુત્ર અને બોડીગાર્ડ્સ પણ માર્યા ગયા છે.' કાઉન્સિલે તેમને દેશના 'પ્રધાન સેવક' ગણાવતા શહીદનો દરજ્જો આપ્યો છે.
સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ હતા Ali Larijani
તમને જણાવી દઈએ કે અલી અર્દશિર લારીજાનીએ 2025થી 2026 સુધી સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ તરીકે કાર્ય કર્યું હતું. આ પહેલા તેમણે 2005થી 2007 સુધી પણ આ પદ પર કામ કર્યું હતું, તેઓ ઈરાનના De Facto Leader (વાસ્તવિક નેતા) કહેવાતા હતા. ઇરાકના નજફમાં, માઝાની મૂળના લારીજાની પરિવારમાં જન્મેલા અલીએ તેહરાન યુનિવર્સિટીમાંથી પશ્ચિમી ફિલસૂફીનો અભ્યાસ કર્યો હતો.
IRGCમાં જોડાયા હતા Ali Larijani
1981માં તેઓ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માં જોડાયા હતા. તેમણે 2008થી 2020 સુધી ઈરાનની સંસદના અધ્યક્ષ (સ્પીકર) તરીકે સેવા આપી હતી. તેઓ 2020થી 'એક્સપીડિયન્સી ડિસર્નમેન્ટ કાઉન્સિલ' ના સભ્ય રહ્યા હતા; આ પહેલા તેમણે 1997થી 2008 સુધી પણ આ પરિષદમાં સેવા આપી હતી. તેમણે 2005માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેઓ છઠ્ઠા ક્રમે રહ્યા હતા અને 2021માં તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.
અલી ખામેનેઈના બેહદ નજીકના હતા Ali Larijani
લારીજાની, ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના પરિષદમાં હાજર રહેલા બે પ્રતિનિધિઓમાંથી એક હતા. સચિવ તરીકેના પોતાના પદ પર રહેતા તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ-જેમાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ પણ સામેલ હતો-તેના પર કામ કર્યું હતું. તેઓ 'સાંસ્કૃતિક ક્રાંતિની સર્વોચ્ચ પરિષદ' ના સભ્ય પણ હતા.
ઈરાનના સૌથી પ્રમુખ રાજકીય પરિવારોમાંના એક Ali Larijani
67 વર્ષીય લારીજાનીને ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનની સૌથી શક્તિશાળી હસ્તીઓમાંથી એક માનવામાં આવતા હતા. તેઓ ઈરાનના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય પરિવારોમાંથી એક હતા, જેની સરખામણી અવારનવાર યુનાઇટેડ સ્ટેટ્સના 'કેનેડી પરિવાર' સાથે કરવામાં આવે છે. તેમના ભાઈ સાદેઘ લારીજાનીએ ન્યાયતંત્રના વડા તરીકે કાર્ય કર્યું હતું, જ્યારે મોહમ્મદ જવાદ લારીજાની વિદેશ નીતિ પર વરિષ્ઠ સલાહકાર હતા.
'મારી રાયમાં, આ મુદ્દો આપસમાં બેસીને ઉકેલી શકાય છે'
5 ઓગસ્ટ 2025ના રોજ, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને લારીજાનીને બીજી વાર સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ નિયુક્ત કર્યા હતા. યુદ્ધ શરૂ થવાના કેટલાક મહિના પહેલા તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મારી રાયમાં, આ મુદ્દો આપસમાં બેસીને ઉકેલી શકાય છે.' જોકે, અમેરિકાએ સરકાર વિરોધી પ્રદર્શનોના હિંસક દમનમાં તેમની કથિત ભૂમિકાને લઈને તેમના પર પ્રતિબંધ પણ લાદ્યો હતો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
