For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના PM નવાઝ શરીફ પર હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ

|
Google Oneindia Gujarati News

nawaz-sharif-3
ઇસ્લામાબાદ, 23 જુલાઇ : પાકિસ્તાનના વહીવટી તંત્રએ એક આતંકવાદી નેટવર્કનો ભાંડો ફોડીને વર્તમાન વડાપ્રધાન નવાઝ શરીફને નિશાન બનાવી હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. વહીવટી તંત્રનો દાવો છે કે આતંકવાદીઓ લાહોરના બહારના વિસ્તાર રાયવિંદમાં નવાઝ શરીફના નિવાસ પર આતંકવાદી હુમલો કરવાની યોજવા બનાવી રહ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીના પુત્ર અલી હૈદર ગિલાનીના અપહરણના કેસની તપાસ કરી રહેલી પોલીસ તથા ગુપ્તચર તંત્રના અધિકારીઓની સંયુક્ત તપાસ ટીમે આ કાવતરાને શોધી કાઢ્યું હતું. મે 2013 દરમિયાન ચૂંટણી પ્રચાર દરમિયાન અલી હૈદરનું અપહરણ કરવામાં આવ્યું હતું.

આ અંગે ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ગિલાનીના કેસની તપાસ કરતા સમયે અધિકારીઓએ ઉત્તરી વજિરિસ્તાન સ્થિત એક આતંકવાદી જૂથની ભાળ મેળવી હતી. આ જૂથ લાહોરમાં સક્રિય હતું. આ જૂથે રાયવિંદમાં શરીફને તેમના ઘરે જ નિશાન બનાવવા અંગેની યોજના ઘડી રહ્યું હતું.

English summary
Conspiracy failed to attack Pakistan PM Nawaz Sharif
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X