ભારતીયોને ઝાટકો, ટ્રમ્પે અમેરિકામાં નવા ગ્રીન કાર્ડ જાહેર કરવા પર 60 દિવસનો પ્રતિબંધ લગાવ્યો
ભારતીયોને ઝાટકો, ટ્રમ્પે અમેરિકામાં નવા ગ્રીન કાર્ડ જાહેર કરવા પર 60 દિવસનો પ્રતિબંધ લગાવ્યો
વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સંકટને પગલે દેશની લથડેલી અર્થવ્યવસ્થાને કારણે મોટો ફેસલો લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ નવા ગ્રીન કાર્ડ અને વૈધાનિક કાયમી રહેઠાણ પર આગલા 60 દિવસ માટે પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલ તેઓ અમેરિકામાં બિનપ્રવાસી વિઝા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવી રહ્યા છે. 60 દિવસ બાદ દેશની આર્થિક હાલાતની સમીક્ષા બાદ આ મામલે આગળ ફેસલો લેવામાં આવશે. જો કે અમેરિકામાં અસ્થાયી રૂપે રહેતા લોકો પર આ પ્રતિબંધ નહિ લાગ.

હજારો ભારતીય પર અસર
ટ્રમ્પે આ ફેસલા બાદ કહ્યું કે જેઓ વર્ક વીજા, એચ-1બી વીજા પર અમેરિકામાં આવ્યા છે તેમના પર ફેસલાની અસર નહિ થાય. આ ઉપરાંત મોસમના આધારે કૃષિ માટે દેશમાં આવતા બિનપ્રવાસી મજૂરો પર પણ પ્રતિબધની અસર નહિ થાય. માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ એગ્જેક્યુટિવ ઓર્ડર પર આજે હસ્તાક્ષર કરી શકે છે. જેની અસર એવા હજારો ભારતીયો પર પડશે જેઓ ગ્રીન કાર્ડનો ઈંતેજાર કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ સરકારના આ ફેસલા બાદ આ લોકોને ગ્રીન કાર્ડ મળવામાં વિલંબ થશે.

60 દિવસ બાદ સમીક્ષા કરાશે
વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું આપણે પહેલા અમેરિકી કામદારોની ચિંતા કરવી જોઈએ. આ પ્રતિબંધ 60 દિવસ માટે છે. જે બાદ તેને આગળ વધારવાની જરૂરત છે કે નહિ તેનું આંકલન કરવામાં આવશે. જેનું આંકલન હું ખુદ કરીશ, જેમાં લોકોનો એક સમૂહ પણ હશે જે તે સમયે આર્થિક હાલાતની ચકાસણી કરશે. આ નિર્દેશ માત્ર એવા લોકો પર જ લાગૂ થશે જે સ્થાયી રોકાણની મંજૂરી ઈચ્છે છે, બીજા શબ્દોમાં કહીએ તો જે લોકોને ગ્રીન કાર્ડ મળવાના હતા તેમને હાલ નહિ મળે, અસ્થાયી લોકો પર આ ફેસલો લાગૂ નથી થતો.

અમેરિકી લોકોની નોકરી બચાવવી પ્રાથમિકતા
ટ્રમ્પે કહ્યું કે બેરોજગાર અમેરિકનોને ફરીથી નોકરી મળે અને તેમનું રોજગાર તેમને મળે તે સુનિશ્ચિત કરવું અમારી જવાબદારી છે. જેથી અમેરિકી કામદારોની રક્ષા માટે હું અમેરિકામાં અસ્થાયી રૂપે બિનપ્રવાસીઓ પર રોક લગાવીશ. જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે અમેરિકામાં 2.2 કરોડ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. કોરોના વાયરસથી અમેરિકામાં 8 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 45 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
