પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર ચૂંટણી લડવા પર લાગ્યો આજીવન પ્રતિબંધ, જાણો કારણ
પાકિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રઈ ઇમરાન ખાન માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઇમરાન ખાન પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લાગ્યો છે. પાકિસ્તાની ચૂંટણી પંચે તોશેખાન કેસમાં ઇમરાન ખાન વિરૂદ્ધ આ મહત્વનો ચુકાદો આપ્યો છે. પાકિસ્તાન તહરીક-
પાકિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રઈ ઇમરાન ખાન માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઇમરાન ખાન પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લાગ્યો છે. પાકિસ્તાની ચૂંટણી પંચે તોશેખાન કેસમાં ઇમરાન ખાન વિરૂદ્ધ આ મહત્વનો ચુકાદો આપ્યો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ચૂંટણી પંચે ગેરલાયક ઠેરવ્યા છે. ચૂંટણી પંચના નિર્ણય મુજબ ઈમરાન ખાન ફરી ક્યારેય ચૂંટણી લડી શકશે નહીં. પાકિસ્તાનના ચૂંટણી પંચે આ કેસની સુનાવણી કર્યા બાદ 19 સપ્ટેમ્બરે કાર્યવાહી પૂર્ણ થવા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
શું છે મામલો?
ઈમરાન ખાન પર વિદેશથી સરકારને મળેલી બે ભેટ વેચીને ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે. ઇમરાન ખાન સામેનો કેસ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના શાસક ગઠબંધન સરકારના સાંસદ રાજા અશરફે દાખલ કર્યો હતો. સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈમરાન ખાને તોશેખાન કેસમાં વેચાયેલી ભેટની માહિતી છુપાવી હતી. જો કે તેની સ્પષ્ટતામાં ઈમરાન ખાને કહ્યું છે કે તેણે કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી. આ કેસમાં ઈમરાન ખાનના વકીલ તરફથી કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ઈમરાન ખાન વિરુદ્ધ ખોટા પુરાવા અને દલીલો રજૂ કરવામાં આવી છે.
તોશેખાન શું છે?
તોશેખાન એક વિભાગ છે, જે કેબિનેટ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે. આ વિભાગની જવાબદારી અન્ય દેશોની સરકારો, રાજ્યો અને વિદેશી મહાનુભાવો દ્વારા રાજ્યોના વડાઓ, સંસદસભ્યો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી મૂલ્યવાન ભેટો એકત્રિત કરવાની છે. તોશેખાનના નિયમો અનુસાર, આ નિયમો જેમને લાગુ પડે છે તેમને મળેલી ભેટોની માહિતી કેબિનેટ વિભાગને જાણ કરવી જરૂરી છે.
ભેટોની વિગતો આપવાથી પીછે હટી હતી પાર્ટી
પાકિસ્તાન ઈન્ફોર્મેશન કમિશન (PIC) દ્વારા આમ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં, પીટીઆઈ ઈમરાનને 2018 માં જ્યારે સરકારમાં હોદ્દો સંભાળ્યો ત્યારથી તેમને આપવામાં આવેલી ભેટોની વિગતો જાહેર કરવામાં અચકાતી હતી. પીટીઆઈએ દાવો કર્યો હતો કે જો આ ભેટોનો પર્દાફાશ થશે તો તેનાથી આંતરરાષ્ટ્રીય સંબંધોને નુકસાન થશે. આ પછી, ચૂંટણી પંચે 29 ઓગસ્ટે તેની સુનાવણીમાં પીટીઆઈ પ્રમુખ પાસેથી 8 સપ્ટેમ્બર સુધીમાં લેખિત જવાબ માંગ્યો હતો.
ઇમરાન ખાને ભેટ વેચી હોવાનુ કબુલ્યુ
ઈમરાન ખાને પોતાના જવાબમાં કબૂલ્યું હતું કે તેમણે ઓછામાં ઓછી ચાર ભેટ વેચી છે જે તેમને તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મળી હતી. એક ભેટમાં કાંડા ઘડિયાળ, કફ લિંક્સની જોડી, એક મોંઘી પેન અને એક વીંટીનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ ભેટોમાં ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે. પીટીઆઈ ચીફે કબૂલ્યું હતું કે ઓફિસમાં હતા ત્યારે તેમને 58 ભેટ મળી હતી.
સુરક્ષા વધારવાનો આદેશ
પાકિસ્તાનના ચૂંટણી પંચની સૂચના અનુસાર શુક્રવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2 વાગ્યે નિર્ણયની જાહેરાત કરવામાં આવશે. પંચે તમામ સંબંધિત પક્ષકારો અને તેમના વકીલોને ઈસ્લામાબાદમાં તેના સચિવાલયમાં ચૂંટણી અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ સાથે પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈસ્લામાબાદ પોલીસને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચુકાદા પછી કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળવા માટે સમગ્ર દિવસ દરમિયાન અંદર અને બહાર સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. તેણે આગ્રહ કર્યો કે ખાસ કરીને પાકિસ્તાન ચૂંટણી પંચ સચિવાલયની ઇમારતની અંદર તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.