તાલિબાનની ધમકી, કસાબના મોતનો બદલો લઇશું

લશ્કર બાદ તાલિબાનના પ્રવક્તા એહસાનુલ્લા એહસાને રોયટર્સને ફોન કરી જણાવ્યું હતું કે ' અમે અજમલ કસાબનો બદલો લેવા માટે ભારતીયોને નિશાનો બનાવવાનો નિર્ણય કર્યો છે. તાલિબાનના પ્રવક્તાએ ભારત પાસે માંગણી કરી છે કે તે અજમલ કસાબની લાશ સોંપી દે.
એહસાનુલ્લા એહસાને કહ્યું હતું કે જો ભારત અજમલ કસાબની લાશ તેમને અથવા તેના પરિવારને સોંપશે નહી તો તે ભારતીયોનું અપહરણ કરી તેની હત્યા કરી દેશે અને લાશ આપશે નહી. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે તે દુનિયા કોઇ પણ ખુણામાંથી ભારતીયોને નિશાનો બનાવશે.












Click it and Unblock the Notifications
