વેનેજુએલાના રાષ્ટ્રપતિને ઝેર આપીને મારવાની આશંકા
શાવેજે વેનેજૂએલાના 14 વર્ષો સુધી નેતૃત્વ કર્યું. બે વર્ષથી કેંસરથી પીડાયા બાદ 58 વર્ષની ઉંમરમાં મોત થઇ ગયું હતું. શાવેજ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલ મદૂરોને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. મજૂરો પહેલા જ શાવેજની બીમારી માટે વેનેજૂએલાના દુશ્મનોને દોષી ઠેરવી ચૂક્યા છે. તેમણે જણાવ્યું છે કે આ મામલાની તપાસ એક વિશેષ પંચ દ્વારા કરવામાં આવશે.
મોરાલેસ, શાવેસના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કરાકસ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમને શાવેજની બિમારીની જાણકારી હતી, ભલે તેમણે આ અંગે કોઇ જાણકારી ના આપી હોય. મોરાલેસે જણાવ્યું કે તેમણે એક વખત શાવેજને કોફી માટે ઓફર કરી હતી. ત્યારે શાવેજના અંગરક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો.
આ ઘટનાને યાદ કરતા બોલોવિયાઇ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ત્યારે મારા ભાઇ શાવેજે પોતાના અંગરક્ષકોને કહ્યું કે 'તમે લોકોએ કઇ રીતે વિચારી લીધું કે એવો મને ઝેર આપી શકે છે? ત્યાર બાદ તેમણે કોફી પી લીધી હતી. મોરાલેસે 'સામ્રાજ્ય'ના અર્થનો ખુલાસો નથી કર્યો. સાવેજના અંતિમ સંસ્કારમાં 30થી વધારે દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને શાસનાધ્યક્ષોએ ભાગ લીધો હતો. શાવેજના ઉત્તરાધિકારીની પસંદગી માટે વેનેજુએલામાં 14 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે.'