'મોદીના PM બનતાં ભારત-અમેરિકાના સંબંધ મજબૂત થશે'
વોશિંગ્ટન, 27 સપ્ટેમ્બર: અમેરિકાના બે વરિષ્ઠના વિદ્વાનોએ કહ્યું હતું કે ભાજપના નેતા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની સ્થિતીમાં ભારત-અમેરિકાના સંબંધોમાં કોઇ પાયાગત પરિવર્તન નહી આવે, પરંતુ તેમાં મજબૂતી આવી શકે છે.
'કાર્નેજી એંડોમેંટ ફોર ઇન્ટરનેશનલ પીસ' નામક સંસ્થાન એશ્લે ટેલિસના એક સંમેલન દરમિયાન કહ્યું હતું કે મારું માનવું છું કે શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાથી સંબંધોમાં કોઇ પાયાગત પરિવર્તન આવવાનું નથી. એ વાતની વધુ સંભાવના છે કે આજની તુલનામાં તે સમયે સંબંધો વધુ ગાઢ હોય.

ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ટેલિસે કહ્યું હતું કે અટલ બિહાર વાજપાઇના નેતૃત્વવાળી એનડીએ સરકાર દરમિયાન દ્રિપક્ષીય સંબંધોમાં ઘણા પરિવર્તન આવ્યા હતા.
તેમને કહ્યું હતું કે હું આશા રાખું છું કે જો ભાજપ સત્તામાં આવે છે તો તે આ પરંપરાને યથાવત રાખશે કારણ કે અમેરિકાને લઇને ભાજપનો દ્રષ્ટિકોણ વડાપ્રધાન મનમોહન સિંહની જેમ અનૂકૂળ છે.












Click it and Unblock the Notifications
