IND vs ENG: પૂજારા અને કોહલીએ આશા જગાવી છતાં ઇંગ્લૅન્ડ સામે ભારત કઈ રીતે હાર્યું?
ઇંગ્લૅન્ડના લીડ્સમાં ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે યજમાન એવી ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમે ભારતીય ટીમને 76 રન અને ઇનિંગથી હરાવી દીધી છે. આ સાથે જ સિરીઝમાં બંને ટીમો 1-1ની બરોબરી પર આવી ગઈ છે. નોંધનીય છે કે આ અગાઉ લૉર્ડ્સ ખાતે ર
ઇંગ્લૅન્ડના લીડ્સમાં ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે યજમાન એવી ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમે ભારતીય ટીમને 76 રન અને ઇનિંગથી હરાવી દીધી છે. આ સાથે જ સિરીઝમાં બંને ટીમો 1-1ની બરોબરી પર આવી ગઈ છે.
નોંધનીય છે કે આ અગાઉ લૉર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મૅચમાં ભારતીય ખેલાડીઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ઇંગ્લૅન્ડ સામે શાનદાર જીત મેળવી હતી.
ઇંગ્લૅન્ડની જીતમાં તેના ફાસ્ટ બૉલર ઑલી રૉબિંસનનો સિંહફાળો રહ્યો. તેમણે પાંચ વિકેટ લીધી.
નોંધનીય છે કે મૅચના પ્રથમ દિવસે ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 78 રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી.
જે બાદ ઇંગ્લૅન્ડની ટીમે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી 432 રનનો સ્કોર કર્યો હતો.
જેના જવાબમાં ભારતની ટીમ 278 રન બનાવીને ઑલઆઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડની ટીમનો શાનદાર વિજય થયો હતો.
નોંધનીય છે કે હજુ પાંચ ટેસ્ટ મૅચોની સીરિઝની બે મૅચો બાકી છે. જે સીરિઝ પર કોનો કબજો થશે તેની સ્પષ્ટતા કરશે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો