સીમા હૈદર અને અંજુને લઇ શું બોલ્યુ વિદેશ મંત્રાલય? પાકિસ્તાનના શાંતિ પ્રસ્તાવનો ભારતે આપ્યો સીધો જવાબ
પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા વાતચીતના પ્રસ્તાવનો ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતની સ્થિતિ એ છે કે અમે તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ આ માટે આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ જરૂરી છે.
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે બાગચીએ પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ ગુપ્તાના કેસ પર પણ ટિપ્પણી કરી હતી.

અરિંદમ બાગચીએ કહ્યું કે પાકિસ્તાન સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે. પાકિસ્તાન પોતાનો પ્રચાર ફેલાવવા માટે નિયમિતપણે આવું કરે છે. અમે આ પ્રચારને ગંભીરતાથી લેવા માંગતા નથી.
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરના કેસ પર બાગચીએ કહ્યું કે એજન્સીઓ સીમા હૈદર કેસની તપાસ કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે અંજુ ગુપ્તાનો મામલો વિદેશ નીતિનો મામલો નથી. તે અંજુની ખાનગી મુલાકાત હતી.
આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બ્રિક્સ પર પણ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે એ બિલકુલ સાચું નથી કે બ્રિક્સના વિસ્તરણને લઈને ભારતને કોઈ વાંધો છે. અમે આ અંગે અમારી સ્થિતિ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છીએ.
આ સાથે અરિંદમ બાગચીએ બાળકી અરિહા શાહના કેસ વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે ઉચ્ચ પ્રાથમિકતાના આધારે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ સંબંધમાં આ સપ્તાહે જર્મન એમ્બેસેડર સાથે વાતચીત કરવામાં આવશે. બાગચીએ કહ્યું કે અમે જર્મન સત્તાવાળાઓને છોકરીને વહેલી તકે પરત લાવવા કહ્યું છે. અમે જર્મન સત્તાવાળાઓના સંપર્કમાં છીએ.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
