લૉકડાઉન માટે WHOએ ભારતની ફરીથી કરી પ્રશંસા પરંતુ આ અંગે ચેતવ્યા
કોરોના વાયરસ પર અંકુશ લગાવવા માટે ભારતમા લૉકડાઉન લાગુ કરવાના મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.
આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી 33 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને બે લાખથી વધુ લોકોના મોત થઈ ગયા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. અહીં કોરોનાના કેસ વધીને 42533 થઈ ગયા છે અને અત્યાર સુધી 1373 લોકોના જીવ ગયા છે. રાહતની વાત એ છે કે 11707 લોકો કોરોના સામે જંગ જીતીને પોતાના ઘરે જઈ ચૂક્યા છે.
વિશ્વ આરોગ્ય સંગઠને કરી ભારતની પ્રશંસા
વળી, આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ કોરોના વાયરસ પર અંકુશ લગાવવા માટે ભારતમા લૉકડાઉન લાગુ કરવાના મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. કોવિડ-19 માટે ડબ્લ્યુએચઓના વિશેષ પ્રતિનિધિ ડૉ. ડેવિડ નાબરોએ ધ ઈકોનૉમિક્સ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે. ડેવિડ નાબરોએ કહ્યુ કે તે કોવિડ-19ને રોકવા માટે ભારતે સમયે લીધેલા પગલા અને કડક કાર્યોની પ્રશંસા કરી છે.
લૉકડાઉન બાદ રહેવુ પડશે દરેક રીતે તૈયાર
તેમણે કહ્યુ કે સંખ્યા માટે વાત કરવી અત્યારે ઉતાવળ કહેવાશે પરંતુ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન ઉપરાંત આઈસોલેશન અને કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કો વિશે જાણવાથી વાયરસનો પ્રસાર રોકવામાં જરૂર સફળતા મળશે. ડેવિડ નાબકોએ કહ્યુ કે ભારતમાં લૉકડાઉનને જલ્દી લાગુ કરવો એક દૂરંદેશી હતી. સાથે જ આ સરકારનો સાહસિક નિર્ણય હતો. આ નિર્ણયે ભારતની જનતાને કોરોના વાયરસ સામે મજબૂતીથી લડવાનો મોકો મળ્યો.
ભારતમાં લૉકડાઉનને ઘણુ જલ્દી લાગુ કરવામાં આવ્યુ
ભારતમાં લૉકડાઉનને ઘણુ જલ્દી લાગુ કરી દેવામાં આવ્યુ, આ ત્યારે અમલમાં મૂકવામાં આવ્યુ જ્યારે અહીં કોરોનાના ખૂબ જ ઓછા કેસ હતા. નિશ્ચિક રીતે આ ભારતનો દૂરંદેશી નિર્ણય હતો. જો કે અમુક લોકોને આ નિર્ણયથી વાંધો પડ્યો છે પરંતુ જો લૉકડાઉન વિલંબથી થાત તો ઘણા લોકોના જીવ જઈ શકતા હતા. સાથે જ મોટાપાયે ફેલાઈ શકતુ હતુ. નાબરોએ કહ્યુ કે હજુ પણ આપણે કડકાઈથી ફિઝિકલ ડિસ્ટંસીંગનુ પાલન કરવુ પડશે. લૉકડાઉન ખતમ થયા બાદ પણ કારણકે આપણે એ સિદ્ધાંતોને લાગુ કરવાની જરૂર છે જે આપણે શીખ્યુ છે કારણકે લૉકડાઉન બાદ કોરોના કેસ વધી શકે છે એટલા માટે આને લાગુ કરવા સાથે જ તપાસ, દર્દીઓની ઓળખ, આઈસોલેશન અને તેમના ઈલાજ દ્વારા આ લડાઈને જીતી શકાય છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીએ પણ કહી મોટી વાત
અહીં તમને જણાવી દઈએ કે 11માંથી 10 દેશ લૉકડાઉન બાદ નવા દર્દીઓની ઓળખ કરવા અને તેમની સંખ્યાને રોકવામાં સફળ થયા છે. 11મો દેશ ભારત છે જેને હાલમાં આ સફળતા હજુ મળી નથી. હાલમાં દેશ ત્રીજા લૉકડાઉમાં પ્રવેશ કરી ચૂક્યુ છે. ઑક્સફૉર્ડ યુનિવર્સિટીએ લૉકડાઉન કઠોરતા સૂચકાંકમાં જણાવ્યુ છે કે ભારતમાં 21 દિવસ પહેલા લૉકડાઉમાં તપાસની ગતિ ખૂબ જ ધીમી હતી. બીજા તબક્કામાં આવતા જ ગતિ વધી અને દર્દીઓનો આંકડો પણ, ફ્રાંસ, સ્પેન અને ઈટલીમાં પણ લૉકડાઉ દરમિયાન નવા દર્દીઓની સંખ્યા ઘટી પરંતુ ભારતમાં 38 દિવસ બાદ પહેલી વાર 2411, પછી 3 હજારથી વધુ દર્દી સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ લૉકડાઉન 3 આજથી શરૂ: જાણો આજથી શું ખુલશે અને શું રહેશે બંધ