For Quick Alerts
For Daily Alerts
ભારત-પાક. સેના અધિકારીઓએ કરી હોટલાઇન પર વાતચીત
ઇસ્લામાબાદ, 14 ઓક્ટોબર: સરહદ પર ચાલી રહેલા હાલના તણાવ ભરેલા વાતાવરણના પ્રયાસમાં ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ સેના અધિકારીયોએ મંગળવારે હોટલાઇન પર વાતચીત કરી હતી.
એક પાકિસ્તાની સેના અધિકારીએ જણાવ્યું કે સેના સ્તરની નિયમિત વાતચીત હેઠળ પાકિસ્તાનના સૈન્ય સંચાલન નિર્દેશક (ડીએમઓ)એ પોતાના ભારતીય સમકક્ષ સાથે વાતચીત કરી છે.
લગભગ બે દિવસની ચુપ્પી બાદ પાકિસ્તાન સૈનિકોએ સોમવારે બે વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારતની દસ મહત્વની ચોકિયોને નિશાનો બનાવતા ભારે ગોળીબાર કર્યો. બંને દેશોની વચ્ચે એક ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર તણાવ ચાલું છે.
Comments
pakistan army kashmir narendra modi nawaz sharif ભારત પાકિસ્તાન આર્મી કાશ્મીર નરેન્દ્ર મોદી નવાઝ શરીફ
English summary
India, Pakistan Army officials speak over hotline.
Story first published: Tuesday, October 14, 2014, 20:34 [IST]