પાકિસ્તાનમાં હિન્દૂ છોકરીઓના અપહરણનો મુદ્દો ચર્ચાયો
પાકિસ્તાનમાં અપહરણ થયેલી બે હિંદુ છોકરીઓનો કેસ હવે ચર્ચામાં આવી રહ્યો છે. મંગળવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે સિંધની સરકારને બંને છોકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
પાકિસ્તાનમાં અપહરણ થયેલી બે હિંદુ છોકરીઓનો કેસ હવે ચર્ચામાં આવી રહ્યો છે. મંગળવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે સિંધની સરકારને બંને છોકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. આ સમાચાર જીઓ ન્યૂઝ દ્વારા આપવામાં આવ્યા છે. અગાઉ ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજએ પણ પાકિસ્તાનને વિનંતી કરી હતી કે બંને છોકરીઓને તેમના પરિવારોને સોંપી દેવી જોઈએ. બંને છોકરીઓ નાબાલિક છે અને સિંધના ઘોટકીથી હોળીના દિવસે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો 'બહુ મુશ્કેલ' થઈ જશે

જબરજસ્તી સ્વીકારાવ્યો ઇસ્લામ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોળીના પ્રસંગે બે હિન્દુ કન્યાઓના અપહરણ પછી, તેઓને જબરજસ્તી ઇસ્લામ સ્વીકારાવ્યો હતો. તેમના નામ અનુક્રમે રવિના અને રીના છે. આ પછી બે મુસ્લિમ પુરુષો સાથે તેમના લગ્ન કરાવામાં હતા. સુષ્માએ આ ઘટનાની નિંદા કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, "પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓનું જબરજસ્તીથી ધર્મપરિવર્તન. આ છોકરીઓની ઉંમર પર કોઈ વિવાદ નથી. રવિના ફક્ત 13 વર્ષની છે, તો રીના 15 વર્ષની છે. પાકિસ્તાનના વડાપ્રધાન પણ એ વાત માનસે નહિ કે આ ઉંમરમાં છોકરીઓનું જબરજસ્તી ધર્મપરિવર્તન કરી શકાય છે અને તેઓના લગ્ન કરાવી શકાય.

સુષ્માએ ન્યાયની માંગ કરી
સુષ્માએ આ કેસમાં ન્યાયની માંગ કરી અને કહ્યું કે આ બે છોકરીઓને તેમના ઘરે પાછી મોકલી દેવામાં આવે. પાકિસ્તાનમાં આ કેસમાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી. આમાં તે વ્યક્તિ પણ શામેલ છે જેણે છોકરીઓના લગ્ન કરાવ્યા હતા. રવિવારે સિવિલ સોસાયટીના કેટલાક સભ્યો કરાચી પ્રેસ ક્લબની બહાર ભેગા થયા હતા. આ લોકોએ આ બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સોશિયલ મીડિયાના કારણે સામે આવ્યો કેસ
બંને છોકરીઓ એકબીજાની સગી બહેનો છે. આ બાબત ત્યારે ખબર પડી જયારે છોકરીઓના પિતા અને ભાઈઓએ વિડિઓ લઇ અને તેમને સોશિયલ મીડિયા પર અપલોડ કરી. ધીરે ધીરે વિડિઓ વાયરલ બન્યો અને સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થવા લાગ્યો. એક અલગ વિડિઓમાં છોકરીઓએ દાવો કર્યો હતો કે તેઓએ ઇસ્લામને પોતાની ઇચ્છાથી અપનાવ્યો હતો. તો વડા પ્રધાન ઇમરાનએ રવિવારે એજન્સીઓને આ બાબતની તાત્કાલિક તપાસ કરવા આદેશ આપ્યો હતો.

ભારતે ચિંતા વ્યક્ત કરી
રવિવારે, ભારતએ પાકિસ્તાનને એક સત્તાવાર નોટ લખી હતી. વિદેશી વિભાગ તરફથી લેવામાં આવેલી નોટમાં પાકિસ્તાન સરકાર પાસે લઘુમતી સમુદાયોની સુરક્ષા અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી. તો પાકિસ્તાનના હ્યુમન રાઇટ્સ કમિશન કહે છે કે દક્ષિણ સિંધમાં જબરજસ્તી ધર્મપરિવર્તનનો આ કેસ નવો છે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
