જાપાનમાંથી હટાવાઈ ઈમરજન્સી, શિંઝો આબેએ કહ્યુ - આજથી નવી જિંદગીની શરૂઆત
જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ ગુરુવારે જણાવ્યુ છે કે તેમના દેશના મોટાભાગના ભાગોમાં કોરોના વાયરસ માટે જે ઈમરજન્સી લગાવવામાં આવી હતી તેને હટાવી લેવામાં આવી છે.
જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ ગુરુવારે જણાવ્યુ છે કે તેમના દેશના મોટાભાગના ભાગોમાં કોરોના વાયરસ માટે જે ઈમરજન્સી લગાવવામાં આવી હતી તેને હટાવી લેવામાં આવી છે. જો કે રાજધાની ટોકિયો અને ઓસાકામાં હજુ ઈમરજન્સી ચાલુ રહેશે. પીએમ આબેએ કહ્યુ છે કે આજે એક નવી જિંદગીની શરૂઆત છે અને આશા છે કે આવનારા દિવસો સામાન્ય રહેશે.

આશા છે કે હવે બધુ ઠીક થઈ થશે
જાપાનના પીએમ આબેએ ટીવી પર રાષ્ટ્રના નામે સંબોધન કર્યુ અને આ વાતનુ એલાન કર્યુ. તેમણે કહ્યુ, આજે અમે નિર્ણય કર્યો છે કે 47માંથી 39 પ્રાંતોમાં ઈમરજન્સી હટાવી લેવામાં આવશે. ટોકિયો ઉપરાંત ઓસાકા, ક્યોટો અને હોકાઈદો સિહત સાત પ્રાંતોમાં હજુ ઈમરજન્સી ચાલુ રહેશે. આ પ્રાંતોને હાઈ રિસ્કવાળી જગ્યાઓમાં રાખવામાં આવ્યા છે. જાપાને સાત એપ્રિલે એક મહિના માટે ટોકિયો અને છ શહેરી પ્રાંતોમાં ઈમરજન્સીનુ એલાન કર્યુ હતુ. ત્યારબાદ આખા દેશમાં આને 31 મે સુધી વધારવામાં આવ્યુ હતુ. દેશમાં સંક્રમણના કેસોમાં ઘટાડો થતા આબેએ નિર્ણય કર્યો કે દેશની અર્થવ્યવસ્તાને આગળ વધારવા માટે પ્રતિબંધોમાં ઢીલ આપવી જરૂરી છે.
તે ઈચ્છે છે કે દેશમાં અર્થવ્યવસ્થા અને બિમાી વચ્ચે બચાવની વચ્ચે એક સંતુલન જળવાઈ રહે. જો કે તેમણે લોકોને ચેતવણી પણ આપી છે કે સંક્રમણના કેસ ફરીથી આવી શકે છે માટે ખુદને સુરક્ષિત રાખો. આબેએ કહ્યુ કે વિશેષજ્ઞ આગલા સપ્તાહે એક મીટિંગ કરશે અને નિર્ણય લેશે કે બચેલા ભાગોમાં પ્રતિબંધોને હટાવવામાં આવે કે પછી ચાલુ રાખવામાં આવે. તેમણે મે મહિનાના અંત સુધી કોરોના મહામારીને નિયંત્રિત કરવાનુ વચન આપ્યુ છે. જાપાનમાં 16 હજારથી વધુ કન્ફર્મ કેસ છે જ્યારે મહામારીથી 680 લોકોના મોત થયા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
