Japan Tsunami : ભુકંપ બાદ સૂનામીનો ખતરો કેમ વધી જાય છે?
હાલમાં જ જાપાનમાં ભયાનક ભુકંપ આવ્યો છે અને સુનામીનો ખતરો તોળાઈ રહ્યો છે. આ ખતરા વચ્ચે એ જાણવુ જરૂરી છે કે ભુકંપ બાદ આખરે સુનામી કેમ આવે છે.
અહેવાલો અનુસાર, જાપાનમાં 45 સેમીની સુનામીની લહેર ગેંગવોન પ્રાંતના મુખોના પૂર્વ કિનારે પહોંચી છે. દક્ષિણ કોરિયન હવામાન એજન્સી અનુસાર, આ મોજા વધુ ઉંચા થઈ શકે છે.

સુનામી કેવી રીતે આવે છે?
જ્યારે પણ સમુદ્ર તટ પર ધરતીકંપ આવે છે ત્યારે જ્વાળામુખી ફાટી નીકળે છે અથવા ભૂસ્ખલન થાય છે, ત્યારે તે સમુદ્રમાં જોરદાર હિલચાલ જોવા મળે છે. આ હિલચાલને કારણે પાણી ખસવા લાગે છે.
તેના કંપનથી તરંગો ઉત્પન્ન થવા લાગે છે. ઘણી વખત આ તરંગો 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્પન્ન થાય છે અને કિનારાઓ સાથે અથડાય છે. જો ધરતીકંપ જોરદાર હોય તો આ તરંગો વધુ શક્તિશાળી બને છે અને કિનારે આવતી દરેક વસ્તુને ઘેરી લે છે.
સરળ ભાષામાં સમજીએ કે, પૃથ્વીનું ઉપરનું પડ બે ભાગમાં છે અને એકબીજા સાથે જોડાયેલું છે. જ્યારે તેની અંદર પૃથ્વી ઘણા સ્તરોની બનેલી છે. જ્યારે પૃથ્વીની બાહ્ય સપાટી પર હાજર ટેક્ટોનિક પ્લેટ સમુદ્રના તળની નીચે એકબીજા સાથે અથડાય છે ત્યારે આ હિલચાલ ભૂકંપનું કારણ બને છે. પછી આ ધરતીકંપ દરિયાના પાણીને કિનારા તરફ ધકેલે છે, જેના કારણે મોજા ઉછળે છે અને સુનામી આવે છે.
જાપાનમાં આવેલા ભૂકંપ બાદ સુનામીનો ખતરો ભારત સુધી છે. કેન્દ્ર સરકારે ભારતના પૂર્વ કિનારે સુનામીની સંભાવના ધરાવતા વિસ્તારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુરી, કાકીનાડા, મછલીપટ્ટનમ, નિઝામપટ્ટનમ-વેતાપલમ, ચેન્નાઈ, કુડ્ડલોર-પુડુચેરી, રામેશ્વરમ, અલપ્પુઝા-ચાવારા અને કોચીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, ભારતમાં અત્યાર સુધીના સૌથી ઉંચા સુનામી મોજા 17.30 મીટર ઊંચા ઉડ્યા હતા. આ સુનામી 26 ડિસેમ્બર 2004ના રોજ આવી હતી અને તેની અસર ચેન્નાઈમાં જોવા મળી હતી. તે સમયે ભારતમાં 18,000 લોકોના મોત થયા હતા.












Click it and Unblock the Notifications
