પાકઃ જીન્નાની ઐતિહાસિક આવાસને ઉગ્રવાદીઓએ કરી નષ્ટ
આ હુમલામાં એક પોલીસકર્મી પણ માર્યો ગયો. ઉગ્રવાદીએ બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી અંદાજે 120 કિમી દૂર સ્થિત જિયારતમાં કાયદા આજમ રેજિડેન્સી પર હુમલો કર્યો. તેમણે અહીં ચાર બોમ્બ લગાવીને વિસ્ફોટ કર્યો અને બાદમાં ગોળીબાર પણ કર્યો.
વિસ્ફોટો અને ગોળીઓના કારણે ઇમારતમાં આગ પણ લાગી ગઇ જેના પર ચાલ કલાક બાદ કાબૂ મેળવી શકાયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારમાં એક પોલીસકર્મીનું મોત થયું છે. આગથી ઇમારતનો લાકડીથી બનેલો હિસ્સો, ફર્નીચર અને જીન્નાના સ્મૃતિ ચિન્હ પણ નષ્ટ થઇ ગયા છે.
ટેલીવિઝન પર દર્શાવવામાં આવેલા ફૂટેજથી જાણવા મળે છે કે ઇમારતની છત નષ્ટ થઇ ગઇ છે અને માત્ર ઇંટોથી બનેલો ઢાંચો જ સલામત છે. જિલ્લા પોલીસ પ્રમુખ અસગર અલીએ જણાવ્યું કે બોમ્બ નિરોધક દસ્તાએ છ અન્ય બોમ્બ શોધીને તેને નિષ્ક્રિય બનાવી દીધા છે. પ્રત્યેક બોમ્બમાં અંદાજે ત્રણ કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.