3 ઑગસ્ટના રોજ કડક સુરક્ષાની વચ્ચે નેપાળ જશે વડાપ્રધાન
કાઠમાંડુ, 31 જુલાઇ: નેપાળમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખી હવાઇ સિક્યુરિટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને વિશેષ કમાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય કમાંડો પણ મોદીના પ્રવાસ પહેલા સુરક્ષા તપાસ માટે નેપાળ રવાના થશે. નેપાળ સરકારે પોતાના ચારેય રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના જવાનોને મોદીની યાત્રા દરમિયાન સુરક્ષામાં રોકવામાં આવ્યા છે.
મોદી નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલાના આમંત્રણ પર પોતાની પહેલી બે દિવસીય નેપાળ યાત્રા માટે 3 ઑગસ્ટના રોજ પહોંચી રહ્યા છે. નેપાળના ગૃહ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે એક સપ્તાહની નિર્ધારિત યોજના અનુસાર નેપાલ સેના, આર્મ્ડ પોલીસ ફોર્ડ, નેપાળ પોલીસ અને નેશનલ ઇંટેલિજન્સ ડિપાર્ટમેન્ટ પોતાના જવાનોના બંદોબસ્તની સાથે કામ શરૂ કરી ચૂકી છે.
અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. નરેન્દ્ર મોદી અત્રેના વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરના દર્શન પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ નેપાળને સુરક્ષા માટે ફંડની જાહેરાત કરે તેવી પણ સંભાવના છે.