Nobel Prize 2021 in Economics : ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એંગ્રિસ્ટ અને ગુઈડો ડબલ્યુને મળ્યો નોબેલ પુરસ્કાર
અર્થશાસ્ત્ર 2021નો નોબેલ પુરસ્કાર ડેવિડ કાર્ડ, જોશુઆ ડી. એંગ્રિસ્ટ અને અમેરિકાના ગુઈડો ડબલ્યુને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ શ્રમ અર્થશાસ્ત્રમાં યોગદાન માટે ડેવિડ કાર્ડને અડધો પુરસ્કાર આપ્યો હતો, જ્યારે બાકીનો
Nobel Prize 2021 in Economics : અર્થશાસ્ત્ર 2021નો નોબેલ પુરસ્કાર ડેવિડ કાર્ડ, જોશુઆ ડી. એંગ્રિસ્ટ અને અમેરિકાના ગુઈડો ડબલ્યુને એનાયત કરવામાં આવ્યો છે.

બે અર્થશાસ્ત્રીઓને સંયુક્ત રીતે એનાયત કરાયા
નોબેલ સમિતિએ શ્રમ અર્થશાસ્ત્રમાં યોગદાન માટે ડેવિડ કાર્ડને અડધો પુરસ્કાર આપ્યો હતો, જ્યારે બાકીનો અડધો પુરસ્કાર સંયુક્ત રીતે જોશુઆ ડી. એંગ્રિસ્ટ અને ગુઈડો ડબલ્યુ ઈમ્બેન્સને કારણભૂત સંબંધોના વિશ્લેષણ માટે એનાયત કરવામાં આવ્યો હતો.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 11, 2021
The 2021 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded with one half to David Card and the other half jointly to Joshua D. Angrist and Guido W. Imbens.#NobelPrize pic.twitter.com/nkMjWai4Gn
ગયા વર્ષે આ અર્થશાસ્ત્રીઓને મળ્યો હતો એવોર્ડ
ગત વર્ષનો એવોર્ડ બે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને મળ્યો હતો. જેમણે હરાજી હાથ ધરવાની મુશ્કેલ સમસ્યાને વધુ અસરકારક રીતે હલ કરી હતી.
4 ઓક્ટોબરના રોજ જાહેર કરાયો હતો ફિઝીયોલોજી માટે નોબેલ પુરસ્કાર 2021
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક એવા નોબેલ પુરસ્કાર 2021ની જાહેરાત કરવામાં આવી છે. ડેવિડ જુલિયસ અને આર્ડેમ પાટાપૌટિયનએ તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સની શોધ માટે ફિઝીયોલોજી અથવા મેડિસિનમાં 2021નો નોબેલ પુરસ્કાર જીત્યો છે. ઉલ્લેખનીય વાત છે કે, નોબેલ પુરસ્કારો આપવામાં આવનારો આ પ્રથમ પુરસ્કાર છે. ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર ડેવિડ અને આર્ડેમને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે.
ગરમી, ઠંડી અને સ્પર્શને સમજવાની આપણી ક્ષમતા અસ્તિત્વ માટે જરૂરી છે. તે આજુબાજુની દુનિયા સાથે સંપર્ક બનાવવામાં પણ મદદ કરે છે. આપણા રોજિંદા જીવનમાં આપણે આ સંવેદનાઓને હળવાશથી લઈએ છીએ, પરંતુ તાપમાન અને દબાણને સમજવા માટે ચેતા આવેગ કેવી રીતે શરૂ થાય છે? આ પ્રશ્નનો જવાબ આ વર્ષના નોબેલ વિજેતાઓએ તેમની શોધ દ્વારા આપ્યો છે.
5 ઓક્ટોબરના રોજ ભૌતિકશાસ્ત્ર માટે સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરસીને મળ્યો એવોર્ડ
ભૌતિકશાસ્ત્ર માટે 2021નાનોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા ત્સુકુરો મનાબે, ક્લાસ હાસેલમેન અને જ્યોર્જિયો પેરસીને 2021નો ભૌતિકશાસ્ત્ર નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ત્રણેય વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આ પુરસ્કાર તેમના ભૌતિક પ્રણાલીઓ વિશેની આપણી સમજમાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવ્યો છે. મંગળવારના રોજ (05 ઓક્ટોબર) નોબેલ એસેમ્બલી દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 216 લોકોને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.
આ સિદ્ધિઓ માટે મળ્યો નોબેલ પુરસ્કાર
Tsukuro Manebe : ત્સુકુરો મનાબે એ શોધ કરી છે કે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું વધેલું સ્તર પૃથ્વીની સપાટી પરના તાપમાનમાં કેવી રીતે વધારો કરે છે. ત્સુકુરો મનાબેને આ શોધ કરવા માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
Giorgio Parisi : જ્યોર્જિયો પેરસીને અવ્યવસ્થિત જટિલ સામગ્રીમાં છૂપાયેલી પેટર્ન શોધવા બદલ નોબેલ એનાયત કરવામાં આવ્યો છે. તેમની શોધ જટિલ સિસ્ટમ્સના સિદ્ધાંતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાંની એક છે.
Klaus Hasselmann : ક્લાઉસ હેસલમેને એક મોડેલ બનાવ્યું છે, જે હવામાન અને આબોહવાને એકબીજા સાથે જોડે છે. જે સમજાવે છે કે, જ્યારે હવામાન ચલ અને અસ્તવ્યસ્ત હોય હવામાન મોડેલ્સ વિશ્વસનીય કેમ હોય શકે છે.
6 ઓક્ટોબરના રોજ કેમેસ્ટ્રી માટે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને મળ્યું નોબેલ પ્રાઇઝ
રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર બે વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોમાં બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યુસી મેકમિલાનને 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બંને વૈજ્ઞાનિકોને અસમપ્રમાણ ઓર્ગેનોકેટાલિસિસના ક્ષેત્રમાં સંશોધન માટે આ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
નોબેલ પુરસ્કારના સત્તાવાર ખાતા પર આ માહિતી શેર કરતા જણાવવામાં આવ્યું છે કે, રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે 2021નો રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યુસી મેકમિલનને આપવાનું નક્કી કર્યું છે. અસમપ્રમાણ ઓર્ગેનોકેટાલિસિસના વિકાસ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
7 ઓક્ટોબરના રોજ નવલકથાકાર અબ્દુલરાઝક ગુર્નાહને સાહિત્ય માટે મળ્યો નોબેલ પુરસ્કાર
નવલકથાકાર અબ્દુલરાજક ગુર્નાહને સાહિત્યમાં 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અઝાનીયન નવલકથાકાર અબ્દુલરાઝક ગુર્નાહે સંસ્કૃતિઓ અને ખંડો વચ્ચેની ખાડીમાં વસાહતીવાદની અસરો અને શરણાર્થીઓના ભાવિના તેમના દોષરહિત અને કરુણાપૂર્ણ લેખન માટે સાહિત્યમાં 2021નો નોબેલ પુરસ્કાર જીત્યો છે.
અબ્દુલરાઝક ગુર્નાહનો જન્મ વર્ષ 1948માં થયો હતો અને હિંદ મહાસાગરમાં ઝાંઝીબાર ટાપુ પર ઉછર્યા હતા, પરંતુ 1960ના દાયકાના અંતમાં શરણાર્થી તરીકે ઇંગ્લેન્ડ ગયા હતા. તાજેતરમાં સુધી તે કેન્ટરબરી યુનિવર્સિટી ઓફ કેન્ટમાં અંગ્રેજી અને પોસ્ટકોલોનિયલ લિટરેચરના પ્રોફેસર હતા અને તેમણે દસ નવલકથાઓ અને કેટલીક ટૂંકી વાર્તાઓ પ્રકાશિત કરી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
