હાલ પુરતી નહીં થાય પાક પીએમની ધરપકડ

પાકિસ્તાનમાં વર્ષ 2010ના ભ્રષ્ટાચારના એક મામલામાં પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફ તથા અન્ય 15ની ધરપકડ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. જેના સંદર્ભમાં એનએબીના અધિકારી ગુરુવારે કોર્ટ સમક્ષ હાજર થયા હતા.
પાકિસ્તાની સર્વોચ્ચ ન્યાયાલયના પ્રધાન ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ઇફ્તિખાર મોહમ્મદ ચૌધરીએ મંગળવારે વિદ્યુત પરિયોજનામાં લાંચ લેવાના સંબંધમાં પ્રધાનમંત્રી તથા અન્ય 15 લોકોની ધરપકડના આદેશ આપ્યાં હતા. જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયનો આદેશ આવ્યો હતો, તે સમયે તાહિરુલ કાદરી સરકારના રાજીનામાને લઇને સંસંદ બહાર સમર્થકો સાથે પ્રદર્શન કરી રહ્યાં હતા. અદાલતના આદેશે એ અટકળોને પણ હવા આપી છે કે મધ્ય મેમાં પ્રસ્તાવિત ચૂંટણીને બાધિત કરવા માટે સેના તથા ન્યાયપાલિકાની મિલીભગત પણ હોઇ શકે છે.












Click it and Unblock the Notifications
