હેગલની ટીપ્પણી પર પોતાનું વલણ સ્પષ્ટ કરે ભારતઃ મલિક
હેગલે પોતાના ભાષણમાં કહ્યું, 'કેટલાક સમયથી ભારતે અફઘાનિસ્તાનને હંમેશા યુદ્ધના બીજા મોર્ચે, પાકિસ્તાન સાથે યુદ્ધના બીજા મોર્ચા તરીકે ઉપયોગ કર્યો છે અને ભારત વર્ષોથી પાકિસ્તાનની સીમા, અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સીમા પર ઉભી થયેલી સમસ્યાઓને નાણાકીય પોષણ પુરુ પાડ્યું છે.' મલિકે પત્રકારોને કહ્યું કે તેમણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજાઇ અને ભારતીય અધિકારીઓને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા અફઘાનિસ્તાનનું મિત્ર રહ્યું છે અને તેણે હંમેશા અફઘાનિસ્તાનના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે. મલિકે કહ્યું, ' હું અફઘાનિસ્તાનને તેનું વલણ સ્પષ્ટ કરવા કહીં રહ્યો છું કે તે કોઇ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ નથી ને. અમે અમારી તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. મને આશા છે કે યોગ્ય સ્પષ્ટીકરણ જારી કરવામાં આવશે અને તેવું નહીં કરવામાં આવે તો ભારત અને અફઘાનિસ્તાન બન્નેને માફી માગવા માટે કહીશ.'