Pakistan Flood: શું ભારતના કારણે પાકિસ્તાનમાં આવ્યુ પુર?
પાકિસ્તાન પૂરથી ડૂબી ગયું છે. ભારત તરફથી નદીઓમાં પાણીના વધતા પ્રવાહને કારણે પાકિસ્તાનમાં નદી કિનારે આવેલા ગામો પર ખતરો ઉભો થયો છે. પાકિસ્તાની અખબાર ધ ડોનના અહેવાલ મુજબ ભારતે સતલજ નદીમાં પાણી છોડ્યા બાદ પાકિસ્તાનમાં સતલજ નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે.
આ પછી પાકિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ પૂરને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ડોનના અહેવાલ મુજબ ભારતે ગયા વર્ષે 1,72,000 ક્યુસેક પાણી છોડ્યું હતું. આ વખતે ભારતે મંગળવાર બપોર સુધી 208,597 ક્યુસેક પાણી છોડ્યું છે.
દરમિયાન પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર આ પૂર માટે ભારતને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. લોકોનું કહેવું છે કે ભારત દ્વારા છોડવામાં આવેલા પાણીના કારણે આવું થઈ રહ્યું છે.

લોકો કહે છે કે જ્યારે પાકિસ્તાનને પાણીની જરૂર હોય છે ત્યારે ભારત પાણી છોડતું નથી અને જ્યારે અહીં જરૂર નથી પડતી ત્યારે પાકિસ્તાન તરફ પાણી છોડીને દુશ્મનાવટ કરે છે.
અહેવાલો અનુસાર, ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 86 લોકોના મોત થયા છે, જ્યારે કુલ 151 લોકો ઘાયલ થયા છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 16 મહિલાઓ અને 37 બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના વચ્ચે 97 મકાનો પણ ધરાશાયી થયા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અધિકારીઓને રાવી, ચિનાબ અને સતલજ નદીઓમાં સંભવિત પૂરનો સામનો કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે. પંજાબના રાહત કમિશનર નબીલ જાવેદે જણાવ્યું હતું કે ભારત દ્વારા સતલજમાં છોડવામાં આવેલું પાણી થોડા કલાકોમાં લાહોરથી 59 કિમી દૂર કાસુરના ગાંડા સિંહવાલા ગામમાં પહોંચવાની અપેક્ષા છે.
નબિલ જાવેદે કહ્યું કે જો ગત વર્ષની જેમ પાકિસ્તાનમાં પૂરથી તબાહી મચશે તો દેશની અર્થવ્યવસ્થાની હાલત ખરાબ થઈ શકે છે. તેમણે કહ્યું કે સંબંધિત વિસ્તારના અધિકારીઓને કોઈપણ અપ્રિય પરિસ્થિતિને રોકવા માટે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાલી કરાવવા સહિતની તમામ પ્રાથમિક વ્યવસ્થાઓ પૂર્ણ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
પીડીએમએના મહાનિર્દેશક ઈમરાન કુરેશીએ કહ્યું કે સતલજમાં પાણીનું સ્તર વધવાની સંભાવના છે. જોકે, તેમણે ખાતરી આપી હતી કે સમગ્ર પંજાબમાં તમામ બેરેજ અને ડેમમાં પ્રવાહ "સામાન્ય" છે. તેમણે કહ્યું કે સમગ્ર પ્રાંતમાં તમામ નદીઓ, બેરેજ અને ડેમમાં પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ જણાવ્યું હતું કે ભારતના હરિકે અને ફિરોઝપુરથી પૂરની જાણ કરવામાં આવી છે અને આગામી થોડા કલાકોમાં અનુક્રમે કાસુરના ગાંડા સિંહવાલા ગામમાં પહોંચવાની અપેક્ષા છે.
NDMA એ તેના નવીનતમ પરિસ્થિતિ અહેવાલમાં જણાવ્યું છે કે પંજાબ, સિંધ અને બલૂચિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 3 મૃત્યુ અને 9 ઘાયલ થયા છે. આ મૃત્યુ ડૂબી જવાથી, વીજળી પડવાથી અને છત ધરાશાયી થવાને કારણે થયા છે.
અત્યાર સુધીમાં, પંજાબમાં વરસાદ દરમિયાન સૌથી વધુ 52 લોકોના મોત થયા છે, જ્યારે ખૈબર પખ્તુનખ્વામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. આ સિવાય બલૂચિસ્તાનમાં 6, સિંધમાં 5 અને PoK જમ્મુ-કાશ્મીરમાં 3 લોકોના મોત થયા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
