લખવી જેલમાંથી બહાર ન આવે એટલા માટે બેલને પડકાર ફેંકશે પાકિસ્તાન
ઇસ્લામાબાદ, 1 જાન્યુઆરી: પાકિસ્તાન સરકારનો પ્રયત્ન છે કે તે ગમે તે પરિસ્થિતીમાં મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇંડ જકીઉર રહમાન લખવીને જેલમાંથી બહાર આવવા ન દે, એટલા માટે સરકાર હવે લખવીને આપવામાં આવેલી સશર્ત જામીનને પકડાર ફેંકવાનો ફેંસલો કર્યો છે.
ડૉન વેબસાઇટના સમાચાર અનુસાર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા એક અરજી સંદર્ભમાં ઇસ્લામાબાદ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે, જેમાં કહેવામાં આવશે કે વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી જિરહને કોર્ટે સાંભળી નથી.

લખવીની બેલની વિરૂદ્ધ પાકિસ્તાન સરકાર કરશે અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ઇસ્લામાબાદ સુપ્રીમ કોર્ટે જકીઉર રહમાન લખવીને સશર્ત જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો. તેને જામીન રકમ (સિક્યોરિટી બોંડ)ના રૂપમાં દસ લાખ રૂપિયા જમા કરવા માટે કહ્યું હતું. જો કે આ નિર્ણય બાદ ભારતનું ખૂબ આકરું થઇ ગયું હતું ત્યારબાદ પાકિસ્તાનની સરકારે વાયદો કર્યો હતો કે તે જકીઉર રહમાન લખવીને જેલમાંથી બહાર નહી આવવા દે અને મંગળવારે જકીઉર રહમાન લખવીને અપહરણના એક કેસમાં પોલીસ ધરપકડમાં લેવામાં આવ્યો.
લખવીને બીજા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે
તો બીજી તરફ એક દિવસ બાદ અપહરણના એક કેસમાં ઇસ્લામાબાદની એક કોર્ટે તેને બે દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. જકીઉર રહમાન લખવીએ પણ પોતાના આરોપ વિરૂદ્ધ કોર્ટમાં અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તે સાત લોકોમાં સામેલ છે, જેમના પર આરોપ છે કે તેમણે 26/11 મુંબઇ હુમલાને અંજામ આપવાનું કાવતરું રચ્યું તથા તેના માટે આતંકવાદીઓની મદદ કરી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?










Click it and Unblock the Notifications
