PM મોદીએ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ સાથે કરી વાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
બ્રિટનના કિંગ ચાર્લ્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર વાતચીત કરી. તેમની વચ્ચે આ ઘણા મુદ્દાઓ પર વાત થઈ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના સમ્રાટ કિંગ ચાર્લ્સ-III સાથે ટેલિફોન પર વાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ બ્રિટનના રાજાને એક સફળ શાસન માટે શુભકામનાઓ આપી. બંને નેતાઓએ પરસ્પર હિતના ઘણા વિષયો પર ચર્ચા કરી. જેમાં જળવાયુ કાર્યવાહી, જૈવ વિવિધતા સંરક્ષણ અને ઉર્જા પરિવર્તનને આર્થિક ધિરાણ માટે નવીન ઉકેલોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે, ભારતના જી20 પ્રમુખ પદ, મિશન લાઈફની પ્રાસંગિકતા પર ચર્ચા કરવામાં આવી.
પ્રધાનમંત્રી કાર્યાલયે આ અંગે માહિતી આપી કે વાતચીત દરમિયાન પીએમ મોદી અને કિંગ ચાર્લ્સે કૉમનવેલ્થ ઑફ નેશન્સના કામકાજને વધુ મજબુત બનાવવાના માર્ગો પર વિચાર વિનિમય કર્યો હતો. તેમણે બંને દેશોને સાથે મળીને વધુ સારી રીતે કામ કરવામાં અને દ્વિપક્ષીય સંબંધોને સમૃદ્ધ કરવામાં મદદ કરવામાં બ્રિટનમાં ભારતીય સમુદાયની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કિંગ ચાર્લ્સને ખૂબ જ સફળ શાસન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પીએમ મોદીએ કિંગ ચાર્લ્સને જી20 અધ્યક્ષપદ માટે ભારતની પ્રાથમિકતાઓ વિશે જાણકારી આપી હતી. તેમણે મિશન લાઇફ (પર્યાવરણ માટેની જીવનશૈલી) ની સુસંગતતા વિશે પણ વાત કરી, જેના દ્વારા ભારત પર્યાવરણની રીતે ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માંગે છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પીએમ મોદી અને યુકેના ભારતીય પીએમ ઋષિ સુનક મળ્યા હતા.
પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, 'બ્રિટનના રાજા ચાર્લ્સ-III સાથે વાત કરીને આનંદ થયો. આ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને કૉમનવેલ્થ સહિતના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે અમે ભારતની જી20 પ્રમુખપદની પ્રાથમિકતાઓ અને મિશન લાઈફની સંભવિતતા વિશે પણ ચર્ચા કરી.
It was a pleasure to speak with His Majesty King Charles III on issues of mutual interest, including environmental protection, climate resilience, and the Commonwealth. Also discussed the priorities of India's G20 Presidency, and the potential of Mission LiFE. @RoyalFamily
— Narendra Modi (@narendramodi) January 3, 2023