જાપાનના ટોક્યો પહોંચ્યા PM મોદી, શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં થશે સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે જાપાનના ટોક્યો પહોંચ્યા.
ટોક્યોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે જાપાનના ટોક્યો પહોંચ્યા. પીએમ મોદી અહીં જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. પીએમ મોદીએ પોતે આજે સવારે ટ્વીટ કરીને ટોક્યો પહોંચવાની માહિતી આપી છે. પીએમ મોદી શિંજો આબેને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા વૈશ્વિક નેતાઓ સાથે જોડાશે. PM મોદીએ પ્લેનમાંથી ઉતરતી વખતની તેમની તસવીરો ટ્વીટ કરી હતી અને લખ્યુ હતુ કે, 'હું ટોક્યો પહોંચી ગયો છુ'. તેમણે જાપાની ભાષામાં પણ આવી જ એક ટ્વીટ પોસ્ટ કરી.

મંગળવારે શિંજો આબેના અંતિમ સંસ્કારમાં 20થી વધુ રાજ્યો અને સરકારોના વડાઓ સહિત 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. જાપાનના ભૂતપૂર્વ પીએમ શિંજો આબેએ જાપાનની વિદેશ નીતિને સુધારી હતી. જેમાં ભારત સાથેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો હતો. શિંજો આબેની 8 જુલાઈના રોજ દક્ષિણ જાપાનના શહેર નારામાં પ્રચાર પ્રવચન દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યુ કે, 'PM નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચી ગયા છે. આજે પૂર્વ PM શિંજો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. PM મોદી @kishida230 સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં ભારત-જાપાનને આમંત્રિત કરવામાં આવશે. વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી પર વાતચીત થશે અને ભારત-જાપાન સંબંધોને મજબૂત કરવા પર પણ ભાર આપવામાં આવશે.'
આ પહેલા સોમવારે પીએમ મોદીએ ટ્વીટ કર્યુ હતુ કે, 'હું ભૂતપૂર્વ પીએમ શિંજો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે રાત્રે ટોકિયો જઈશ, જે એક પ્રિય મિત્ર અને ભારત-જાપાન મિત્રતાના મહાન ચેમ્પિયન છે. તમામ ભારતીયો વતી હું મારી લાગણી વ્યક્ત કરવા માંગુ છુ. વડા પ્રધાન કિશિદા અને શ્રીમતી શિંજો આબેને હૃદયપૂર્વક સંવેદના. આપણે શિંજો આબેની કલ્પના મુજબ ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશુ.'
Landed in Tokyo. pic.twitter.com/8L4VNNVOUL
— Narendra Modi (@narendramodi) September 26, 2022












Click it and Unblock the Notifications
