પાક પીએમનો આદેશ, 36 કલાકમાં લેવાય આતંકીઓ સામે એક્શન

પાકિસ્તાની પ્રધાનમંત્રીના પ્રવક્તાએ જણાવ્યું કે અશરફ ક્વેટાની સ્થિતિ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની મીડિયાની વાત માનીએ તો પ્રધાનમંત્રીએ કહ્યું છેકે આ મામલે તેમની સરકાર નિર્દોષ જનતાને આતંકવાદીઓનો શિકાર કોઇપણ કાળે થવા નહીં દે.
આ વચ્ચે આખા પાકિસ્તાનમાં શિયા રાજકિય દળો અને સ્ટૂડન્ટ્સ ગ્રુપ દ્વારા આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. પ્રદર્શનના કારણે સેગ ઇસ્લામાબાદ, કરાચી, લાહોર, રાવલપિંડી, ક્વેટા સહિતના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ક્વેટામાં મૃતદેહો સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
