શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ PMના નિવાસસ્થાને આગ લગાવી, 13 જુલાઈએ રાજીનામું આપશે!
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરૂ બન્યું છે, જેના કારણે ત્યાંના લોકો વિદ્રોહ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન શનિવારે ફરીથી ત્યાં વિરોધ કરનારાઓ ઉગ્ર બની ગયા છે.
નવી દિલ્હી, 10 જુલાઇ : ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરૂ બન્યું છે, જેના કારણે ત્યાંના લોકો વિદ્રોહ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન શનિવારે ફરીથી ત્યાં વિરોધ કરનારાઓ ઉગ્ર બની ગયા છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં ભીષણ હિંસા થઈ હતી. શનિવારે સવારે ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. આ પછી પીએમ રાનિલ વિક્રમસિંઘે તેમના નિશાના પર આવ્યા અને તેમના ઘરે તોડફોડ કરી હતી.

શ્રીલંકાના મીડિયા અનુસાર, પીએમ વિક્રમસિંઘેના ખાનગી આવાસની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રોકાયા નહીં. આ પછી ટોળાએ પીએમના ઘરની તોડફોડ કરી તેમને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન સુરક્ષા જવાનોએ ભીડ પર ટીયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો. હાલમાં પણ આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે.
ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યા પછી, સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધએ તમામ પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ નેતાઓએ રાષ્ટ્રપતિ અને પીએમના રાજીનામાની શરત મૂકી હતી. આ પછી રાનિલ વિક્રમસિંઘેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ પ્રદર્શનકારીઓ હજુ પણ શાંત નથી. શ્રીલંકા ન્યૂઝવાયર અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ 13 જુલાઈએ રાજીનામું આપશે. સ્પીકરના હવાલાથી આ સમાચાર આવ્યા છે.
શનિવારે સાંજે શ્રીલંકાના કેબિનેટ મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ બંધુલા ગુણવર્દને, હરિન ફર્નાન્ડો અને માનુષા નાનાયકારાએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિના મીડિયા વિભાગના વડા સુદેવ હેટ્ટિયારાચીએ પણ રાજીનામું આપ્યું હતું.
વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરવાનું ચાલુ રાખ્યું છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. સાથે જ અંદરો અંદર તોડફોડ કરી રહ્યા છે. આ સિવાય ઘણા વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પુલમાં ન્હાતા જોવા મળ્યા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
