શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ PMના નિવાસસ્થાને આગ લગાવી, 13 જુલાઈએ રાજીનામું આપશે!
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરૂ બન્યું છે, જેના કારણે ત્યાંના લોકો વિદ્રોહ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન શનિવારે ફરીથી ત્યાં વિરોધ કરનારાઓ ઉગ્ર બની ગયા છે.
નવી દિલ્હી, 10 જુલાઇ : ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરૂ બન્યું છે, જેના કારણે ત્યાંના લોકો વિદ્રોહ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન શનિવારે ફરીથી ત્યાં વિરોધ કરનારાઓ ઉગ્ર બની ગયા છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં ભીષણ હિંસા થઈ હતી. શનિવારે સવારે ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. આ પછી પીએમ રાનિલ વિક્રમસિંઘે તેમના નિશાના પર આવ્યા અને તેમના ઘરે તોડફોડ કરી હતી.

શ્રીલંકાના મીડિયા અનુસાર, પીએમ વિક્રમસિંઘેના ખાનગી આવાસની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રોકાયા નહીં. આ પછી ટોળાએ પીએમના ઘરની તોડફોડ કરી તેમને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન સુરક્ષા જવાનોએ ભીડ પર ટીયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો. હાલમાં પણ આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે.
ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યા પછી, સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધએ તમામ પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ નેતાઓએ રાષ્ટ્રપતિ અને પીએમના રાજીનામાની શરત મૂકી હતી. આ પછી રાનિલ વિક્રમસિંઘેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ પ્રદર્શનકારીઓ હજુ પણ શાંત નથી. શ્રીલંકા ન્યૂઝવાયર અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ 13 જુલાઈએ રાજીનામું આપશે. સ્પીકરના હવાલાથી આ સમાચાર આવ્યા છે.
શનિવારે સાંજે શ્રીલંકાના કેબિનેટ મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ બંધુલા ગુણવર્દને, હરિન ફર્નાન્ડો અને માનુષા નાનાયકારાએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિના મીડિયા વિભાગના વડા સુદેવ હેટ્ટિયારાચીએ પણ રાજીનામું આપ્યું હતું.
વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરવાનું ચાલુ રાખ્યું છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. સાથે જ અંદરો અંદર તોડફોડ કરી રહ્યા છે. આ સિવાય ઘણા વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પુલમાં ન્હાતા જોવા મળ્યા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
