પુતિન પર હુમલા બાદ રશિયાની યુક્રેનમાં તબાહી, 16 લોકોના મોત
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નિવાસ સ્થાન ક્રેમલિન પેલેસ પર હુમલો થયા બાદ હવે રશિયાએ યુક્રેનમાં આતંક મચાવ્યો છે. પુતિનના નિવાસસ્થાન પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. જો કે આ હુમલો નિષ્ફળ બનાવી દેવાયો હતો.
રાષ્ટ્રપતિ પુતિન પર કથિત ડ્રોન હુમલા બાદ જવાબમાં રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલા તેજ કર્યા છે. યુક્રેનના દક્ષિણી ખેરસન વિસ્તારમાં રશિયન હુમલામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ખેરસનમાં કર્ફ્યુ લાગુ કરી દેવાયો છે. આ કર્ફ્યુ શુક્રવાર સુધી રહેશે.

પુતિન પર હુમલા માટે રશિયાએ યુક્રેનને જવાબદાર ઠેરવતા યુદ્ધના મેદાનમાં તણાવ વધ્યો છે. જો કે યુક્રેને આ હુમલા પાછળ પોતે જવાબદાર ન હોવાનું જણાવ્યુ છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયા આતંકવાદી હુમલાની તૈયારી કરી રહ્યું છે.
ક્રેમલિન પર યુક્રેનના કથિત હુમલાના સમાચાર મળ્યા બાદ ફિનલેન્ડે યુક્રેનને મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ફિનલેન્ડે કહ્યું છે કે તે યુક્રેનને ફાઈટર જેટ નહીં આપે. આ પહેલા ફિનલેન્ડે યુક્રેનને ફાઈટર જેટ આપવાનું વચન આપ્યું હતું.
ઘટનાને લઈને અમેરિકા દ્વારા પણ સત્તાવાર નિવેદન જારી કરાયુ છે. અમેરિકાએ કહ્યું છે કે તે આ હુમલામાં રશિયા દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ કરી રહ્યા છે. અમેરિકાએ કહ્યું કે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું ખરેખર આ હુમલામાં પુતિનને મારવાનો પ્રયાસ થયો હતો?
બીજી તરફ અહેવાલો છે કે, પુતિને હુમલા બાદ તરત જ ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં યુક્રેનને જડબાતોડ જવાબ આપવા પર ચર્ચા થઈ હતી. બીજી તરફ એ પણ અહેવાલો આવી રહ્યા છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન તેમના ઘરમાં બનેલા બંકરમાંથી જ તમામ કામકાજ કરશે.












Click it and Unblock the Notifications
