ભૂકંપના જોરદાર આંચકા, રહેણાંક મકાન ધરાશાયી થતાં 26ના મોત
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે સોમવારના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ સોમવારના રોજ પશ્ચિમ અફઘાનિસ્તાન પ્રાંતના બડગીસમાં આવેલા ભૂકંપમાં 26 લોકોના મોત થયા છે.
કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે સોમવારના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ સોમવારના રોજ પશ્ચિમ અફઘાનિસ્તાન પ્રાંતના બડગીસમાં આવેલા ભૂકંપમાં 26 લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર બદગીસના કાદિસ જિલ્લામાં એક રહેણાંક મકાન ધરાશાયી થતાં 26 લોકોના મોત થયા છે. ભૂકંપના આંચકાના કારણે આ અકસ્માત થયો હતો.

ભૂકંપની તીવ્રતા 5.3 હતી
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 હતી. સ્થાનિક અધિકારી ગવર્નર મોહમ્મદ સાલેહ પરદેલે જણાવ્યું કે, "આજના ભૂકંપમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે." તેમણે કહ્યું કે પીડિતોમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે.

3-4 દિવસમાં બીજો આંચકો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3-4 દિવસમાં આ બીજી વખત છે, જ્યારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારના રોજ અફઘાનિસ્તાનના ફૈઝાબાદ નજીકભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે ભૂકંપની તીવ્રતા પણ 5.3 હતી, પરંતુ તેમાં કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું.

અફઘાનિસ્તાનમાં પહેલેથી જ માનવતાવાદી સંકટ છે
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પહેલાથી જ માનવતાવાદી આપત્તિની ઝપેટમાં છે, ઓગસ્ટ 2021માં તાલિબાન દ્વારા દેશ પર કબ્જો કરવામાં આવ્યો હતો, જેના કારણેઆંતરરાષ્ટ્રીય વેપાર પ્રભાવિત થયો છે અને આંતરરાષ્ટ્રીય સંબંધો સમાન નથી. સોમવારે ભૂકંપનો આંચકો અનુભવાયેલો જિલ્લો પહેલાથી જ વિનાશક દુષ્કાળથી સૌથીવધુ પ્રભાવિત છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
