તાલિબાન સરકારે ભારતને પત્ર લખ્યો, કાબુલ માટે ફ્લાઇટ ફરી શરૂ કરવાની કરી માંગ
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ ઘણા દેશોએ ભારત સહિત લોકોને ત્યાંથી બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી. તાલિબાનની સ્થિતિને જોતા ભારતે 15 ઓગસ્ટ બાદ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માટે તમામ વ્યાપારી ફ્લાઇટ્સ બંધ કરી છે
નવી દિલ્હી : 15 ઓગસ્ટના રોજ તાલિબાની છોકરાઓએ અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કરી હતી, ત્યારબાદ અફઘાનમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા અન્ય દેશોમાં ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઘણી હિંસક ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ ઘણા દેશોએ ભારત સહિત લોકોને ત્યાંથી બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી. તાલિબાનની સ્થિતિને જોતા ભારતે 15 ઓગસ્ટ બાદ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માટે તમામ વ્યાપારી ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, તાલિબાનના ઇસ્લામિક અમીરાતએ DGCAને પત્ર લખીને એરલાઇન ફરી શરૂ કરવાની માગ કરી છે.
મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતએ DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. જે બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા આ પત્રની સમીક્ષા કરવામાં આવી રહી છે.
15 ઓગસ્ટથી ભારતે અફઘાનિસ્તાન માટે પોતાની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી
આ પત્ર દ્વારા અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતની ઘોષણા બાદ તાલિબાની સરકાર દ્વારા પ્રથમ સત્તાવાર વાતચીત શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટથી ભારતે અફઘાનિસ્તાન માટે પોતાની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી, જો કે તાલિબાનના ભય વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને ત્યાંથી લાવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે કાબુલ એરપોર્ટ પરથી લોકોને દેશમાં લાવવા માટે ખાસ વિમાનોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.