'યુક્રેનને શિખાઉ ના સમજતા' - રશિયાના સૈન્ય અભિયાનોને ઘટાડવાના વચન પર ઝેલેંસ્કી
શિયાએ શાંતિ મંત્રણા દરમિયાન યુક્રેન કીવ અને એક અન્ય શહેરની આસપાસ સૈન્ય અભિયાનો ઘટાડવાનુ વચન આપ્યુ છે પરંતુ યુક્રેને રશિયાના વચન પર પ્રતિક્રિયા આપીને શંકા વ્યક્ત કરી છે
કીવઃ રશિયાએ શાંતિ મંત્રણા દરમિયાન યુક્રેન કીવ અને એક અન્ય શહેરની આસપાસ સૈન્ય અભિયાનો ઘટાડવાનુ વચન આપ્યુ છે પરંતુ યુક્રેને રશિયાના વચન પર પ્રતિક્રિયા આપીને શંકા વ્યક્ત કરી છે કારણકે અમુક પશ્ચિમ દેશોએ મૉસ્કોથી યુક્રેનના અન્ય ભાગોમાં હુમલા તેજ કરવાની સંભાવના વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે ઈસ્તંબુલના એક મહેલમાં એક મહિનાથી પણ વધુ સમયથી વાતચીત ચાલી રહી છે. આ હુમલો બીજા વિશ્વયુદ્ધ બાદ એક યુરોપીય દેશ પર સૌથી મોટા હુમલા તરીકે જોવામાં આવી રહ્યો છે જેમાં હજારો લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે. એટલુ જ નહિ લગભગ 4 મિલિયન લોકો વિદેશ ભાગવા માટે મજબૂર બન્યા. આ સાથે જ પ્રતિબંધો સાથે રશિયાની અર્થવ્યવસ્થા પણ ચોપટ થઈ ચૂકી છે.

આ પહેલા રશિયાના ઉપ રક્ષામંત્રી એલેક્ઝાન્ડર ફોમિને પત્રકારોને કહ્યુ હતુ કે પારસ્પરિક વિશ્વાસ વધારવા અને આગળની વાતચીત માટે જરુરી શરતો અને સંમતિ માટે કીવ અને ચેર્નિહાઈવમાં સૈન્ય ગતિવિધિઓને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે અન્ય ક્ષેત્રોનો કોઈ ઉલ્લેખ ન કર્યો. જેમાં દક્ષિણ-પૂર્વમાં મારિયુપોલ, પૂર્વમાં સુમી અને ખાર્કિવ અને દક્ષિણમાં ખેરસૉન અને માયકોલાઈવ શામેલ છે અને જ્યાં ભારે લડાઈ અને નુકશાન જોવામાં આવ્યુ.
રૉયટર્સમાં છપાયેલા સમાચાર મુજબ આને લઈને રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ મંગળવારે મોડી રાતે કહ્યુ, 'યુક્રેની લોકોને શિખાઉ ના સમજો. આક્રમણના આ 34 દિવસ દરમિયાન અને ડોનબાસના છેલ્લા આઠ વર્ષોના યુદ્ધથી શીખી ચૂક્યા છે કે એક જ વસ્તુ પર ભરોસો કરી શકાય છે અને એ છે ઠોસ પરિણામ. યુક્રેની સશસ્ત્ર બળોના સામાન્ય કર્મચારીઓએ કહ્યુ કે અમુક ક્ષેત્રોમાં સૈન્ય અભિયાનોને ઘટાડવાનુ રશિયાનુ વચન કદાચ વ્યક્તિગત એકમોનુ એક રોટેશન હતુ અને ગુમરાહ કરવાની રીત હતી.'
રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણામાં મુખ્ય વાર્તાકારે સ્પષ્ટ કરી દીધુ છે કે કીવ અને ઉત્તર યુક્રેનની આસપાસ સૈન્ય અભિયાનોને ઘટાડવાના વચનનો અર્થ યુદ્ધ વિરામ નથી. માટે હજુ કીવ સાથે ઔપચારિક સમજૂતી પર વાતચીતે લાંબો રસ્તો પસાર કરવાનો છે. તુર્કીમાં થયેલી વાતચીત દરમિયાન રશિયાએ કીવ અને ઉત્તર યુક્રેનની આસપાસ હુમલો ઘટાડવાની વાત કહી હતી. યુક્રેને તુર્કીમાં મંગળવારે રશિયા સાથે મહિનાથી ચાલી રહેલ સંઘર્ષને ઉકેલવા માટે ઘણા પ્રસ્તાવ રાખ્યા. યુક્રેન, સંઘર્ષને ઉકેલવા માટે ઘણી કોશિશ કરી ચૂક્યુ છે. આના મમાટે તેણે નાટોમાં શામેલ થવાની પોતાની ઈચ્છાને પણ છોડી દેવાનુ એલાન કર્યુ છે. રશિયાએ પણ કહ્યુ છે કે કીવની આસપાસ સૈન્ય ગતિવિધિઓને ઘટાડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
