Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત- ચીનના ટકરાવ વચ્ચે એશિયાના આ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલુ

ભારત- ચીનના ટકરાવ વચ્ચે એશિયાના આ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલુ

એક સમયે સોવિયેત સંઘનો ભાગ રહેલા અર્મેનિયા અને અજરબૈજાન આમને-સામને ઉતરી આવ્યા છે. આ બંને દેશ વચ્ચે લડાઈ શરૂ થઈ ચૂકી છે. પાછલા કેટલાય દશકોથી આ બંને દેશો વચ્ચે નાગોરનોકારાબખ બોર્ડના એક ભાગને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. બંને દેશ છેલ્લે 2008માં આમને-સામને થયા હતા. પાછલા દિવસોમાં હાલાત ઘણા તણાવપૂર્ણ થઈ ગયા છે અને હવે યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધી 23 જવાનોના મોત થયાં છે, અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યો છે. મૃતકોમાં બે સામાન્ય નાગરિક પણ સામેલ છે.

war

એક-બીજા પર આરોપ લગાવ્યા

અલ જજીરાના રિપોર્ટ મુજબ અજરબૈજાનના રાષ્ટ્રપતિએ દેશને નામ સંબોધનમાં લોકોને ભરોસો અપાવ્યો હતો કે તેમની સેનાને કંઈ નુકસાન નથી થયું, પરંતુ યુદ્ધ ચાલુ છે. બીજી તરફ અર્મેનિયાનો દાવો છે કે તેમણે પોતાની એક્શનમાં અજરબૈજાનના ચાર હેલીકોપ્ટર, ત્રણ ડઝન ટેંક અને અન્ય સેના વાહનોને ખતમ કરી દીધા છે. નાગરનો-કારાબખ વિસ્તારને લઈ આ સમગ્ર વિવાદ છે જે હવે અજરબૈજાનમાં આવે છે પરંતુ હાલ અર્મેનિયાની સેનાનો અહીં કબ્જો છે. સ્થાનિક મીડિયા મુજબ આ વિસ્તાર પાસેના રહેણાંક નજીકના વિસ્તારમાં ગોળીબાર શરૂ થઈ ગયો છે જે કારણે હાલાત યુદ્ધ જેવા બની ગયા છે. હવે અજરબૈજાને બોર્ડર નજીક આવેલા વિસ્તારોમાં માર્શલ લૉ લાગૂ કરી દીધો છે, રસ્તા પર સેના ચાલી રહી છે અને ચારો તરફ ટેંક જ ટેંક છે. બીજી તરફ અર્મેનિયાનું કહેવું છે કે યુદ્ધની શરૂઆત અજરબૈજાને કરી છે, એવામાં તેઓ પાછળ નહિ હટે. અર્મેનિયા અને અજરબૈજાન પાડોસી દેશ છે અને એશિયાનો જ ભાગ છે. સોવિયેત સંઘમાં ભાગલા પહેલાં બંને દેશ તેની અંતર્ગત જ આવતા હતા. હવે બંને દેશની સીમા યૂરોપની એકદમ નજીક છે. અર્મેનિયાની દૂરી ભારતથી 4000 કિમીની છે.

બંને દેશ વચ્ચે શું વિવાદ છે

અર્મેનિયા અને અજરબૈજાન ઈરાન અને તુર્કીની વચ્ચે આવે છે. 80ના દશકના અંતમાં જ્યારે સોવિયેત સંઘનું પતન શરૂ થઈ ગયું તો તે બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધતો ગયો. બંને દેશ વચ્ચે નાગરનો-કારાબખ વિસ્તારને લઈ કેટલાય દશકોથી વિવાદ ચાલુ છે. આ વિસ્તાર ર્મેનિયા અને અજરબૈજાનની બોર્ડર પાસે આવેલો છે. વર્ષ 1991માં પણ બંને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ બની હતી. પરંતુ ત્રણ વર્ષના સંઘર્ષ બાદ રશિયાએ દખલગીરી કરી અને 1994માં સીજફાયર થયું. વર્તમાન સમયમાં તો નાગરનો-કારાબખ અજરબૈજાનમાં આવે છે, પરંતુ અહીં અર્મેનિયાના લોકો વધુ છે એવામાં અર્મેનિયાની સેનાએ આ વિસ્તારને પોતાના કબ્જામાં લઈ લીધો છે. ચાર હજાર વર્ગ કીમીનો આ વિસ્તાર પહાડી એરિયા છે અને હંમેશા અહીં તણાવની સ્થિતિ બની રહે છે. જેના કારણે આજે બંને દેશ વચ્ચે જંગ-એ-એલાન થઈ ગયું છે. બંને દેશ વચ્ચે જંગની શરૂઆત 2018માં જ થઈ ગઈ હતી. તે સમયે બંને સેનાએ બોર્ડર પર પોતાના સૈનિકોને વધારી દીધા હતા. યૂરોપના કેટલાય દેશોએ બંને દેશોને શાંતિની અપીલ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X