ભારત- ચીનના ટકરાવ વચ્ચે એશિયાના આ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલુ
ભારત- ચીનના ટકરાવ વચ્ચે એશિયાના આ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલુ
એક સમયે સોવિયેત સંઘનો ભાગ રહેલા અર્મેનિયા અને અજરબૈજાન આમને-સામને ઉતરી આવ્યા છે. આ બંને દેશ વચ્ચે લડાઈ શરૂ થઈ ચૂકી છે. પાછલા કેટલાય દશકોથી આ બંને દેશો વચ્ચે નાગોરનોકારાબખ બોર્ડના એક ભાગને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. બંને દેશ છેલ્લે 2008માં આમને-સામને થયા હતા. પાછલા દિવસોમાં હાલાત ઘણા તણાવપૂર્ણ થઈ ગયા છે અને હવે યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધી 23 જવાનોના મોત થયાં છે, અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યો છે. મૃતકોમાં બે સામાન્ય નાગરિક પણ સામેલ છે.

એક-બીજા પર આરોપ લગાવ્યા
અલ જજીરાના રિપોર્ટ મુજબ અજરબૈજાનના રાષ્ટ્રપતિએ દેશને નામ સંબોધનમાં લોકોને ભરોસો અપાવ્યો હતો કે તેમની સેનાને કંઈ નુકસાન નથી થયું, પરંતુ યુદ્ધ ચાલુ છે. બીજી તરફ અર્મેનિયાનો દાવો છે કે તેમણે પોતાની એક્શનમાં અજરબૈજાનના ચાર હેલીકોપ્ટર, ત્રણ ડઝન ટેંક અને અન્ય સેના વાહનોને ખતમ કરી દીધા છે. નાગરનો-કારાબખ વિસ્તારને લઈ આ સમગ્ર વિવાદ છે જે હવે અજરબૈજાનમાં આવે છે પરંતુ હાલ અર્મેનિયાની સેનાનો અહીં કબ્જો છે. સ્થાનિક મીડિયા મુજબ આ વિસ્તાર પાસેના રહેણાંક નજીકના વિસ્તારમાં ગોળીબાર શરૂ થઈ ગયો છે જે કારણે હાલાત યુદ્ધ જેવા બની ગયા છે. હવે અજરબૈજાને બોર્ડર નજીક આવેલા વિસ્તારોમાં માર્શલ લૉ લાગૂ કરી દીધો છે, રસ્તા પર સેના ચાલી રહી છે અને ચારો તરફ ટેંક જ ટેંક છે. બીજી તરફ અર્મેનિયાનું કહેવું છે કે યુદ્ધની શરૂઆત અજરબૈજાને કરી છે, એવામાં તેઓ પાછળ નહિ હટે. અર્મેનિયા અને અજરબૈજાન પાડોસી દેશ છે અને એશિયાનો જ ભાગ છે. સોવિયેત સંઘમાં ભાગલા પહેલાં બંને દેશ તેની અંતર્ગત જ આવતા હતા. હવે બંને દેશની સીમા યૂરોપની એકદમ નજીક છે. અર્મેનિયાની દૂરી ભારતથી 4000 કિમીની છે.
બંને દેશ વચ્ચે શું વિવાદ છે
અર્મેનિયા અને અજરબૈજાન ઈરાન અને તુર્કીની વચ્ચે આવે છે. 80ના દશકના અંતમાં જ્યારે સોવિયેત સંઘનું પતન શરૂ થઈ ગયું તો તે બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધતો ગયો. બંને દેશ વચ્ચે નાગરનો-કારાબખ વિસ્તારને લઈ કેટલાય દશકોથી વિવાદ ચાલુ છે. આ વિસ્તાર ર્મેનિયા અને અજરબૈજાનની બોર્ડર પાસે આવેલો છે. વર્ષ 1991માં પણ બંને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ બની હતી. પરંતુ ત્રણ વર્ષના સંઘર્ષ બાદ રશિયાએ દખલગીરી કરી અને 1994માં સીજફાયર થયું. વર્તમાન સમયમાં તો નાગરનો-કારાબખ અજરબૈજાનમાં આવે છે, પરંતુ અહીં અર્મેનિયાના લોકો વધુ છે એવામાં અર્મેનિયાની સેનાએ આ વિસ્તારને પોતાના કબ્જામાં લઈ લીધો છે. ચાર હજાર વર્ગ કીમીનો આ વિસ્તાર પહાડી એરિયા છે અને હંમેશા અહીં તણાવની સ્થિતિ બની રહે છે. જેના કારણે આજે બંને દેશ વચ્ચે જંગ-એ-એલાન થઈ ગયું છે. બંને દેશ વચ્ચે જંગની શરૂઆત 2018માં જ થઈ ગઈ હતી. તે સમયે બંને સેનાએ બોર્ડર પર પોતાના સૈનિકોને વધારી દીધા હતા. યૂરોપના કેટલાય દેશોએ બંને દેશોને શાંતિની અપીલ કરી છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
