ભારતને છોડી પાકિસ્તાનના પક્ષમાં કેમ ઉભુ છે જર્મની? જાણો શું છે પુરો મામલો?
ભારત-પાકિસ્તાન કશ્મીરને લઈને સતત આમને સામને રહે છે. કશ્મીર વિવાદને લઈને યુરોપના દેશો ઘણી વખત ભારતની વિરૂદ્ધ જોવા મળે છે. હવે જર્મની પણ ભારતની વિરૂદ્ધમાં જોવા મળ્યુ છે.
ભારત-પાકિસ્તાન કશ્મીરને લઈને સતત આમને સામને રહે છે. કશ્મીર વિવાદને લઈને યુરોપના દેશો ઘણી વખત ભારતની વિરૂદ્ધ જોવા મળે છે. હવે જર્મની પણ ભારતની વિરૂદ્ધમાં જોવા મળ્યુ છે. હવે જર્મનીએ પણ જર્મનીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન તરફથી બોલવાનું શરૂ કર્યુ છે.
જર્મનીનું ભારત વિરૂદ્ધ નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જર્મનીના વિદેશ મંત્રી અનાલેના બેરબોકે કહ્યું કે, કાશ્મીરમાં તણાવ અને યુદ્ધની સ્થિતિ છે. જર્મનીએ આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી છે. જો કે, ભારતે જર્મન વિદેશ મંત્રીના નિવેદન પર કડક ટિપ્પણી કરતા તેમના નિવેદનને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું છે.
અનાલેના બેયરબોકે વિવાદ છેડ્યો
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આ દિવસોમાં જર્મનીના પ્રવાસે છે. શુક્રવારે બર્લિનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જર્મન વિદેશમંત્રી અનાલેના બેયરબોકે જણાવ્યું કે, વિશ્વના દરેક દેશની ભૂમિકા અને જવાબદારી છે કે તે તકરારનો ઉકેલ લાવે અને આપણે શાંતિપૂર્ણ વિશ્વમાં રહીએ તે સુનિશ્ચિત કરે.
કશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યુ
જો કે, આ દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા આચરવામાં આવી રહેલા આતંકવાદનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. આ પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, વૈશ્વિક સમુદાયના તમામ પ્રામાણિક દેશોની જવાબદારી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને મુખ્યત્વે સરહદ પારના આતંકવાદને ખતમ કરે.
પહેલા પણ જર્મની ભારત વિરૂદ્ધ બોલી ચુક્યુ છે
આ પહેલી વખત નથી, આ પહેલા પણ જર્મનીએ ભારત મુદ્દે ટિપ્પણી કરી હતી. અગાઉ, જર્મનીના વિદેશ મંત્રાલયે Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ પર નિવેદન બહાર પાડીને ભારતના લોકતંત્ર પર કટાક્ષ કર્યો હતો. જર્મનીએ કહ્યું હતું કે ભારત પોતાને વિશ્વનું સૌથી મોટું લોકશાહી ગણાવે છે. આ સ્થિતિમાં ભારત પાસેથી અભિવ્યક્તિ અને પ્રેસની સ્વતંત્રતા જેવા લોકતાંત્રિક મૂલ્યોની અપેક્ષા રાખી શકાય. જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પ્રેસને દેશમાં જરૂરી જગ્યા આપવી જોઈએ. કોઈપણ પત્રકારને બોલવા અને લખવા માટે કેદ ન થવો જોઈએ.
જર્મની પાકિસ્તાનના પક્ષમાં કેમ?
હવે સવાલ એ થાય છે કે જર્મનીમાં પાકિસ્તાનની ભાષા કેમ બોલે છે? આતંકવાદની ફેક્ટરી કહેવાતા પાકિસ્તાનનું જર્મની જેવા દેશ કેમ સમર્થન કરે છે? ઘણા વિશ્લેષકોના મતે આનું સૌથી મોટું કારણ રશિયા-યુક્રેન મુદ્દે પશ્ચિમી દેશોની જેમ કોઈ પણ દેશને ભારતનું સ્પષ્ટ સમર્થન છે. રુસો-યુક્રેન યુદ્ધનો સૌથી મોટો ભોગ જર્મની રહ્યું છે. જર્મની પહેલા તેના 40 ટકા ઇંધણ રશિયા પાસેથી ખરીદતું હતું, પરંતુ હવે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોએ જર્મનીને મુશ્કેલીમાં મૂકી દીધું છે.
જર્મનીને આ પણ સમસ્યા છે
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે એ જ પાકિસ્તાન જે રશિયા સાથે સંબંધો બાંધવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું હતું, તે હવે અમેરિકા અને પશ્ચિમી દેશોને રશિયા વિરુદ્ધ ખતરનાક શસ્ત્રો યુક્રેન સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યું છે. યુકેના સફળ પ્રવાસ બાદ હવે પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા અમેરિકા જવાના છે. આ ઉપરાંત જર્મની પણ ભારતની વધતી જતી વૈશ્વિક સર્વોપરિતાથી દુખી છે. નાટોનું સભ્ય હોવા છતાં અમેરિકાએ યુએન સુરક્ષા પરિષદના વિસ્તરણના મામલામાં જર્મનીને બહુ મહત્વ આપ્યું ન હતું. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત માત્ર અમેરિકા જ નહીં જાપાન અને બ્રાઝિલે પણ કરી હતી.
જર્મનીમં શરણાર્થીઓ મોટી સમસ્યા
આ સિવાય અન્ય કારણ જર્મનીમાં શરણાર્થીઓની સમસ્યા છે. ગયા વર્ષે 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન પછી વિદેશી સૈનિકો ગયા પછી કંટ્રોલ પાકિસ્તાનના હાથમાં આવી ગયો, જે યુરોપમાં તેની સ્થિતિ મજબૂત કરી શકે છે. જર્મનીમાં અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓની સંખ્યા હજારોમાં છે. હવે જર્મની ઈચ્છે છે કે આ શરણાર્થી સંકટનો સામનો કરવામાં પાકિસ્તાન તેની મદદ કરે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝોએ પણ અફઘાન શરણાર્થીઓને પાકિસ્તાનમાં સ્થાન આપવાની હિમાયત કરી છે. જર્મની પણ ઇચ્છે છે કે પાકિસ્તાન માત્ર આ શરણાર્થીઓને જ નહીં પરંતુ ત્યાના સુન્ની પશ્તુન શરણાર્થીઓને ત્યાં જ રોકે.