પાકની વધુ એક ક્રુરતા, કરી ભારતીય કેદી હત્યા

અખનૂરના પરગવાલ ગામમાં રહેતી પત્ની કમલેશ દેવી અને પુત્રી દારા સિંહે ચમેલ સિંહના મૃતદેહ માંગવાની સરકારને અરજ કરી છે. પાક જેલ અધિકારીઓ દ્વારા મૃતદેહને મોડેકથી મોકલવાનું કારણ લાહોર સ્થિત વકીલ તહસીન ખાને જણાવ્યું કે, જેના કારણે તેના શરીર પર ઇજાના નિશાન સંપૂર્ણ રીતે સાફ થઇ જાય. ભારતીય વિદેશમંત્રીના પ્રવક્તાએ પણ ચમેલના મોતની પૃષ્ટી કરી છે.
લાહોરમાં અલ્પસંખ્યકોના હક માટે જીજસ રેસ્ક્યૂ નામના એનજીઓ ચલાવનારા વકીલ તહસીન ખાને જણાવ્યું કે 15 જાન્યુઆરીએ તે લાહોરની કોટ લખપત સેન્ટ્રલ જેલમાં બંધ હતા. તે દિવસે સવારે અંદાજે પાણા આઠ વાગ્યે ભૂલથી સરહદ પાર જતા પાંચ વર્ષની સજા ભોગવી રહેલા જમ્મૂને અનખૂર સેક્ટરમાં પરગવાલ નિવાસી ચમેલ સિંહ પુત્ર રસાલ સિંહ બૈરક બહાર લાગેલા નળ પર કપડા ધોવા લાગ્યા. ત્યારે હેડ વોર્ડન મો. નવાજ અને મો સદીકે તેની ગંદકી નહીં ફેલાવવા કહ્યું. તેના પર ચમેલે કહ્યું કે તેને કપડાં ધોવાની જગ્યા બતાવવામાં આવે. તે સમયે ત્યાં જેલમાં આસિસ્ટેન્ટ સુપરિટેન્ડેટ પણ આવી ગયા. તેમની સામે જ બે વોર્ડનને ચમેલના માથા અને આંખ પર વાર કરવાની શરૂઆત કરી દીધી. અચાનક આંખ અને માથા પરથી લોહી નિકલથા જોઇ આસિસ્ટેન્ટ સુપરિટેન્ડેન્ટ ત્યાંથી જતા રહ્યાં.
વકીલે કહ્યું કે, તે અને બીજા કેદી જ્યારે ચમેલી પાસે પહોંચ્યાં ત્યારે તેમની મોત થઇ ચૂકી હતી. ભારતીય કેદીની હત્યા પર ત્યાં હડકંપ મચી ગયો તો તુરત જ તેના મૃતદેહને લઇને જેલ કર્મચારી હોસ્પિટલ જતા રહ્યાં. 18 જાન્યુઆરીએ જેલથી જમાનત પર બહાર આવેલા વકીલ તહસીના લાહોરને જિન્ના સિવિલ હોસ્પિટલમાં જાણકારી મેળવી તો ખબર પડી કે ચમેલના મૃતદેહને માર્ચરીમાં રાખવામાં આવ્યું છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
