સવિતા એબોર્શન કેસ: ત્રણ ડોક્ટરોને હટાવાયા

આ મામલાની તપાસ માટે સાત સભ્યોવાળી ટીમ બનાવ્યાના થોડા કલાકોની અંદર જ આયર્લેન્ડના પ્રધાનમંત્રી એંડા કૈનીએ સંસદમાં આ ડોક્ટરોને હટાવવાની જાહેરાત કરી. સવિતાના પતિ પ્રવિણ હલપ્પનાવરે તપાસકર્મીઓને પોતાની પત્નીના મેડિકલ રિપોર્ટ બતાવવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે ગૈલવે હોસ્પિટલના ત્રણ ડોક્ટરો આ તપાસ સમિતિમાં સામેલ હતા.
કૈનીએ જણાવ્યું કે 'આ ત્રણ ડોક્ટરો તપાસ સમિતિનો ભાગ નહીં બને. તેમના સ્થાને એ ડોક્ટરોને સામેલ કરવામાં આવશે જેમનો આ હોસ્પિટલ સાથે કોઇ સંબંધ ના હોય.' પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણય સવિતાના પતિ અને પરિવાર પર આ ઘટનાના દુ:ખદ પ્રભવ અને જનહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સવિતાના મોત સાથે જોડાયેલી પરિસ્થિતિઓની યોગ્ય તપાસ થઇ શકશે.












Click it and Unblock the Notifications
