મોરિશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકોને રાષ્ટ્રપતિ મુર્મુની ભેટ, મળશે OCI કાર્ડ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરેશિયસમાં ભારતીય મૂળના 7મી પેઢીના લોકોને ઓવરસીઝ સિટીઝનશિપ ઑફ ઈન્ડિયા(OCI) કાર્ડ આપવાની વિશેષ જોગવાઈને મંજૂરી આપી છે.
મોરિશિયસની રાજધાની પોર્ટ લુઈસમાં મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુએ કહ્યુ કે 'ખૂન કા રિશ્તા'ના સંદર્ભમાં જેનો મે અગાઉ ઉલ્લેખ કર્યો છે. આપ સહુને જણાવતા મને આનંદ થાય છે કે મારી સરકારે તાજેતરમાં એક પ્રસ્તારવને મંજૂરી આપી છે.

વધુમાં તેમણે કહ્યુ કે આ વિશેષ જોગવાઈ હેઠળ ભારતીય મૂળના 7મી પેઢીના મોરિશિયનો પણ ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા (ઓસીઆઈ કાર્ડ) માટે પાત્ર બનશે. આનાથી ભારતીય મૂળના ઘણા યુવાન મોરેશિયનો ભારતના વિદેશી નાગરિક બનવા માટે સક્ષમ બનશે અને તેઓ પૂર્વજોની ભૂમિ સાથે ફરીથી જોડાશે.
ભારત સરકાર પવિત્ર ગંગા તાલાબ પરિસરને ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યટનના કેન્ગ્રના રુપમાં પુનર્વિકસિત કરવામાં મોરિશિયસ સરકારનુ સમર્થન કરશે. તેમણે કહ્યુ હતુ કે આ નિર્ણય સમાન સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે સમ્માન દર્શાવે છે.
રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે છેલ્લા ઘણા સપ્તાહમાં આપણા વડાપ્રધાનોએ ભારત અને મોરિશિયસમાં યુપીઆઈ અને રુપે કાર્ડ વડે ચૂકવણીની સિસ્ટમ શરુ કરી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ છ સામુદાયિક પ્રોજેક્ટ્સની સાથે એક એર સ્ટ્રીપ અને એક જેટીનુ પણ ઉદઘાટન કર્યુ હતુ. ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓની સપ્લાય માટે નવા ઈનિશિયેટીવની જાહેરાત કરાઈ હતી.












Click it and Unblock the Notifications
