CM રૂપાણીની આગેવાનીમાં 'રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ' હેઠળ જરૂરિયાતમંદોને વહેંચાયુ મફત અનાજ

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં રાજ્યમાં જરૂરિયાતમંદ લોકોને મફતમાં અનાજ પૂરુ પાડવામાં આવ્યુ છે.

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં રાજ્યમાં જરૂરિયાતમંદ લોકોને મફતમાં અનાજ પૂરુ પાડવામાં આવ્યુ છે. આ સાથે જ 101 તાલુકામાં 'રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ' માં શામેલ નવા લાભાર્થીઓને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી અભિનંદન પણ આપવામાં આવ્યા. મુખ્યમંત્રી માટે આયોજિત કાર્યક્રમના ભાગ રૂપે પૂર્વ સંસદીય સચિન હર્ષદભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, પ્રાંત અધિકારી દિલીપભાઈ બારિયા, જિલ્લાના અગ્રણી માનસિંહભાઈ, રણજીતભાઈ ટેલર સહિત લાભાર્થીઓની ઉપસ્થિતિમાં રાશન કાર્ડ વિતરણ કાર્યક્રમ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ શામેલ નવા લાભાર્થીઓને રાશન-પાણી અપાવવા અંગે વાત થઈ. તેમના અભિવાદન સાથે આ યોજનાને ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં દીપ પ્રજ્વલિત કરીને શરૂ કરવામાં આવી.

cm rupani

'રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ -2013'(NFSA) હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ સાર્વજનિક અભિયાનના માધ્યમથી જિલ્લાના નિર્માણ શ્રમિક, વિકલાંગ લાભાર્થી, વૃદ્ધ પેંશનર, વિધવાઓને મદદ મળે છે. એનએફએસએ રાશન કાર્ડ ધારકોમાં શામેલ છે. આ સાથે જ કોરોના મહામારી દરમિયાન નિરાશ્રિત અને જરૂરિયાતમંદ લોકોને સરકાર તરફથી અન્નબ્રહ્મ-આત્મનિર્ભર ભારત યોજનાના માધ્યમથી ખાદ્યાન્ન મફતમાં પ્રદાન કરવામાં આવ્યુ છે તેમ પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવાએ પોતાના સામયિક સંબોધનમાં કહી.

'કિસાન સૂર્યોદય યોજના' ખેડૂતો માટે એક વરદાન બની ગઈ છે અને સરકારની વિવિધ યોજનાઓ છે જેનો શ્રી વસાવાએ લાભાર્થીઓને લાભ ઉઠાવવા માટે અનુરોધ કર્યો છે. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવાએ કાર્યક્રમ માટે એક સામયિક ભાષણ આપ્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ શામેલ નવા લાભાર્થીઓને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી અભિનંદન પાઠવ્યા અને સાથે જ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યુ.

આ પ્રસંગે ડેડિયાપાડા તાલુકાના વિકલાંગ લાભાર્થી, વૃદ્ધાવસ્થા પેંશનભોગી, વિધવા પેંશનર અને શ્રમિક લાભાર્થીઓ સહિત 531 કાર્ડ ધારકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઉપસ્થિત ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા નવા લાભાર્થીઓને રાશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં કોવિડ-19 દરમિયાન ખાદ્ય અને નાગરિક પૂરવઠા અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજના પર એક ફિલ્મ પણ દર્શાવવામાં આવી. શરૂઆતમાં નાનસિંહભાઈ વસાવાએ પોતાના સ્વાગત ભાષણમાં બધાનુ સ્વાગત કરીને બધા પ્રત્યે આભાર પ્રગટ કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X