હરિયાણા સરકારના ફરમાનથી બબીતા ફોગાટ નારાજ
હરિયાણા સરકાર દ્વારા જારી કરાયેલ એક નોટીફિકેશનમાં રાજ્યના ખેલાડીઓને કહેવામાં આવ્યુ છે કે તે પોતાની જાહેરાત વગેરેની કમાણીનો 33% ભાગ હરિયાણા સ્પોર્ટ્સ એકેડમી કાઉન્સિલમાં જમા કરાવે.
ભારતમાં રમતગમતની સ્થિતિ પર જો નજર નાખીએ તો દરેક રમતમાં ખેલાડીઓને પોતાનું બળ દુનિયા સામે બતાવવુ પડે છે. તેમાં જો કોઈ એક રાજ્યની વાત કરીએ તો હરિયાણાનો આમાં કોઈ તોડ નથી. દરેક રમતમાં અહીંના ખેલાડીઓએ પોતાનું નામ આખી દુનિયામાં રોશન કર્યુ છે. જો કે હરિયાણામા સરકાર દ્વારા જારી કરાયેલ એક ફરમાન હવે હરિયાણાના ખેલાડીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
સરકાર દ્વારા જારી કરાયેલ એક નોટીફિકેશનમાં રાજ્યના ખેલાડીઓને કહેવામાં આવ્યુ છે કે તે પોતાની જાહેરાત વગેરેની કમાણીનો 33% ભાગ હરિયાણા સ્પોર્ટ્સ એકેડમી કાઉન્સિલમાં જમા કરાવે. ઉલ્લેખનીય છે કે તેમાં કહેવામાં આવ્યુ કે આ પૈસા રમતગમતના વિકાસમાં લગાવવામાં આવશે. આના પર હરિયાણા સરકારના મુખ્ય સચિવનું નામ જારીકર્તાના રૂપમાં શામેલ છે. આ નોટિફિકેશન 30 એપ્રિલના રોજ જારી કરવામાં આવ્યુ હતુ. આના પર ખેલાડીઓએ ખાસી નારાજગી દર્શાવી છે અને જાણીતી રેસલર બબીતા ફોગાટે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. વળી, સુશીલ કુમારે પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
Does the government even realize how much of hard work a sportsperson puts in? How can they ask for one-third of the income? I do not support this at all. Govt should've at least discussed it with us: Wrestler Babita Phogat to ANI on Haryana govt's notification (File Pic) pic.twitter.com/s1UTKJ03TP
— ANI (@ANI) June 8, 2018
બબીતાએ આ રીતે દર્શાવી પ્રતિક્રિયા
હરિયાણા સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા હરિયાણાની ધાકડ દીકરી બબીતાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે સરકારનો આ નિર્ણય એકદમ ખોટો અને અન્યાયપૂર્ણ છે કારણકે તેમને ખબર નથી કે ખેલાડી કેટલી મુશ્કેલીથી પૈસા કમાય છે. એમાં તે કેવી રીતે ખેલાડીઓને પૈસા માટે કહી શકે. એમાં પણ જો અમે એક તૃતીયાંશ પૈસા સરકારને આપી દઈશુ તો અમારી પાસે શું રહેશે. બબીતાએ કહ્યુ કે સરકારના આ નિર્ણયનું હું સમર્થન નથી કરતી.
This policy should be reviewed. Govt should establish a committee of senior sportspersons & take their input before forming a policy of this type. This will affect the morale of sportspersons & might affect their performance as well: Sushil Kumar, on Haryana Govt's notification pic.twitter.com/NXcZ9WZsWC
— ANI (@ANI) June 8, 2018
સુશીલ કુમારે પણ કરી નિંદા
સુશીલ કુમારે સરકારના આ નિર્ણય પર કહ્યુ કે સરકારે આના પર પોતાનું વલણ બદલવુ જોઈએ. તેમણે સીનિયર ખેલાડીઓની એક સમિતિ બનાવવી જોઈએ અને તેમની પાસેથી આ વિશે વિચારો જાણવા જોઈએ. સુશીલ કુમારે કહ્યુ કે આવો નિર્ણય ખેલાડીઓના પ્રદર્શન અને મનોબળ બંને પર અસર કરશે.