ઈજાગ્રસ્ત થવાના કારણે IPL 2020 ટૂર્નામેન્ટમાંથી 4 ખેલાડી રૂલ આઉટ
ઈજાગ્રસ્ત થવાના કારણે IPL 2020 ટૂર્નામેન્ટમાંથી 4 ખેલાડી રૂલ આઉટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં કુલ 20 મેચ રમાઈ ચૂકી છે. જેમાં ધમાકેદાર બેટલ જોવા મળી છે. રિવાઈવલરી મુકાબલા પણ જોવા મળ્યા છે. ખેલાડીઓ મેચ જીતવા માટે જી જાનથી મહેનત કરી રહ્યા છે અને આ પ્રયત્નોમાં જ ક્યારેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે. IPL 2020માં પણ એવા કેટલીય રોમાંચક મેચ જોવા મળી.
જણાવી દઈએ કે આઈપીએલની સીઝન 13માં એટલે કે પહેલી 20 મેચમાં કુલ 20 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે ટૂર્નામેન્ટથી રૂલ આઉટ થઈ ગયા છે અને તેમની જગ્યાએ નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અહીં જુઓ આખી યાદી.

1. મિશેલ માર્શ
સનરાઈઝર્સ હૈદરાબાદના પહેલા જ મુકાબલામાં તેમના ઓલરાઉન્ડર મિશેલ માર્શ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. મિશેલ માર્શ ઈજાના કારણે પોતાની ઓવર પણ પૂરી નહોતી કરી શક્યો. હૈદરાબાદ ટીમ તરફથી જણાવવામાં આવ્યા મુજબ સર્જરીને કારણે મિશેલ માર્શને ટૂર્નામેન્ટથી જ બહાર કરી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ જેશન હોલ્ડરને સ્ક્વૉડમાં જગ્યા મળી છે.

2. અમિત મિશ્રા
અમિત મિશ્રા જેઓ આઈપીએલ કરિયરમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની રેસમાં સૌથી આગળ હતા, મલિંગાનો રેકોર્ડ તોડી શકે તેમ હતા. જો કે ઈજાના કારણે દિલ્હી કેપિટલ્સે પોતાના શ્રેષ્ઠતમ બોલરને ગુમાવ્યો છે. અમિત મિશ્રાને આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાના કારણે આઈપીએલની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.

3. ભુવનેશ્વર કુમાર
સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાનો બીજો બોલર પણ ગુમાવી દીધો છે. પહેલાં ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને હવે ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતાં સનરાઈઝર્સ હૈદરાબાદની પણ મુશ્કેલી વધી શકે છે. બીજી ઓક્ટોબરે ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગમાં 19મી ઓવર ફેંકતી વખતે ભુવનેશ્વર કુમારને ઈજા પહોંચી હતી. માત્ર એક બોલ ફેંક્યા બાદ તેઓ લડથડિયાં ખાતાં મેદાનની બહાર નીકળી ગયો હતો. ભૂવનેશ્વરની જગ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં 22 વર્ષીય ડાબોડી પેસર પૃથ્વીરાજ યારાને સામેલ કરવામાં આવ્યો છે.

4. હૈરી ગુર્ની
કોલકાતા નાઈટ રાઈડર્સના પેસર હૈરી ગુર્નીને ખભામાં ઈજા પહોંચતા આઈપીએલ શરૂ થતા પહેલાં જ તેણે ટૂર્નામેન્ટમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. હવે તેની જગ્યાએ અલી ખાનને સ્ક્વોડમાં જોડવામાં આવ્યો છે. અલી ખાન ઈજાગ્રસ્ત છે જો કે તે ટૂર્નામેન્ટમાંથી રૂલ આઉટ નથી થયો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
