Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોહલી-શર્માની વિદાય બાદ આ ખેલાડીઓ ભારતીય ટીમને લીડ કરશે, જુઓ લિસ્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્માએ નિવૃતિની જાહેરાત બાદ હવે આ બન્નેની જગ્યા કોણ લેશે તે એક સવાલ છે. આ સવાલનો જવાબ કેટલાક ભારતીય ખેલાડીઓમાં સમાયેલો છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કોચ એન્ડી ફ્લાવરે 5 ને લઈને મોટી વાત કરી છે.

Indian team

તેમણે એવા ક્રિકેટરોના નામ આપ્યા છે જે ભારતીય ટીમમાં કોહલી અને રોહિતના વારસાને આગળ ધપાવી શકે છે. આ માટે તેમણે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલના નામ લીધા છે.

એન્ડી ફ્લાવરે કહ્યું કે, IPL કોચ તરીકે હું કેટલાક સિલેક્ટેડ ખેલાડીઓ પર નજર રાખીશ. યશસ્વી જયસ્વાલે T20 વર્લ્ડ કપમાં એક પણ મેચ રમી નથી પરંતુ તે એક શાનદાર ખેલાડી છે. શુભમન ગિલના કદને ધ્યાનમાં રાખીને તેની IPL 2024 ની સિઝન સારી નહોંચી પરંતુ તે ખૂબ જ ચતુરાઈથી કામ કરે છે. મને તેનામાં વિરાટ કોહલીની ઝલક દેખાય છે.
એન્ડી ફ્લાવરે કહ્યું કે તે અભિષેક શર્માને સારો દેખાવ કરતા જોવા ઉત્સુક છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ધ્રુવ જુરેલમાં તેને પ્રતિભા જોવા મળી છે. જુરેલે ઇંગ્લેન્ડ સામે 4 ઇનિંગ્સમાં એક અર્ધશતક સહિત 190 રન બનાવ્યા હતા અને સારી કીપિંગ પણ કરી હતી.

ફ્લાવરના મતે, રિયાન પરાગમાં પણ એવી પ્રતિભા છે જે એક ખેલાડીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતા હાંસલ કરવા માટે જરૂરી છે.

શુભમન ગિલની વાત કરીએ તો તેને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. 5 મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને 13 રને હરાવતાં તેની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત હાર સાથે થઈ હતી. જો કે ભારતે બીજા મુકાબલામાં 100 રનથી જીતીને સિરીઝ બરાબર કરી લીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X