Hardik-Natasa Divorce : હાર્દિક-નતાશાના ડિવોર્સ બાદ દિકરો અગસ્ત્ય કોની સાથે રહેશે?
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ ડિવોર્સ લેવાની જાહેરાત કરીને ફેન્સને ચૌકાવી દીધા છે. આ ડિવોર્સ સાથે સાથે તેના દિકરાને લઈને પણ ઘણા સવાલ ઉભા થયા છે.
હાર્દિક અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર ન હોવાની અટકળોના મહિનાઓ પછી કપલે મૌન તોડ્યું છે. 18 જુલાઈ, 2024 ના રોજ દંપતીએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર જાહેરાત કરી કે તેઓ અલગ થઈ ગયા છે.

નતાશા તેના પુત્ર અગસ્ત્ય પંડ્યા સાથે સર્બિયા જવા રવાના થયાના એક દિવસ પછી પુષ્ટિ થઈ છે. આ કપલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા છૂટાછેડાની જાહેરાત કરી હતી.
બન્નેએ આ ક્ષણને મુશ્કેલ નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે તેઓ તેમના ત્રણ વર્ષના પુત્ર અગસ્ત્યની સાથે મળીને સંભાળ લેશે. હાર્દિકે તેની ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે કે, ચાર વર્ષ સાથે રહ્યા બાદ અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.
હાર્દિક પડંયાએ આગળ લખ્યું કે, અમને ખાતરી છે કે આ નિર્ણય અમારા બંનેના હિતમાં હશે. તેણીએ આગળ લખ્યું કે, અમને અગસ્ત્યના રૂપમાં ભગવાનનો આશીર્વાદ મળ્યો છે, જે અમારા બંનેના જીવનનું કેન્દ્ર રહેશે અને અમે તેની ખુશી માટે અમે જે કરી શકીએ તે બધું આપીશું. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમારી ગોપનીયતાનું ધ્યાન રાખો.
હાલ અગસ્ત્ય તેની માતા નતાશા સાથે સર્બિયામાં છે, જ્યાં તેના માતાપિતાનું ઘર છે. બંનેની પોસ્ટ વાંચ્યા પછી તેમના પુત્રની કસ્ટડીનો કોઈ મુદ્દો ઉભો થતો નથી, કારણ કે બંનેએ કહ્યું છે કે તેઓ તેમના પુત્રની સંભાળ એકસાથે રાખશે.
ભવિષ્યમાં જો બંનેમાંથી કોઈ છૂટાછેડા માટે કોર્ટનો સંપર્ક કરશે ભૂતકાળમાં છૂટાછેડાના ઘણા કિસ્સાઓ જોતા અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ કિસ્સામાં અદાલત યોગ્ય સંભાળ માટે બાળકની કસ્ટડી માતાને સોંપે છે.












Click it and Unblock the Notifications
