Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાહાની વાતથી હું દુઃખી નથી, દ્રવિડે કહ્યું - ચૂપ રહેવા કરતા, કડવું સત્ય કહીં દેવું સારૂ

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેની અને રિદ્ધિમાન સાહા વચ્ચેની વાતચીત પાછળના કારણ પર પ્રકાશ પાથર્યો છે.

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી : ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેની અને રિદ્ધિમાન સાહા વચ્ચેની વાતચીત પાછળના કારણ પર પ્રકાશ પાથર્યો છે. ભારતના અનુભવી વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ રાહુલ દ્રવિડ પર આરોપ લગાવ્યો છે કે, મુખ્ય કોચ દ્વારા તેને નિવૃત્તિ લેવાની સલાહ આપવામાં આવી હતી અને તે હવે ટીમમાં શામેલ નહીં થાય. આ બધી બાબતો લીક થયા બાદ બધાની નજર રાહુલ દ્રવિડ પર હતી, જેનો જવાબ હવે મુખ્ય કોચે આપ્યો છે.

સાહાને કોઈ ભ્રમમાં રાખવા માગતા નહોતા રાહુલ

સાહાને કોઈ ભ્રમમાં રાખવા માગતા નહોતા રાહુલ

શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારત દ્વારા રિદ્ધિમાન સાહાની પસંદગી કરવામાં આવી નથી અને રાહુલ દ્રવિડ એ વાતનો ઇન્કાર કરતા નથી કે, તેમણેરિદ્ધિમાન સાહાને નિવૃત્ત થવા માટે કહ્યું ન હતું.

સાહા સાથેની વાતચીત પર રાહુલ દ્રવિડ કહે છે કે, તે સાહાને ગેરમાર્ગે દોરવા માંગતો ન હતો અને ખેલાડીઓ સાથે વાતકરવામાં આવી સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે.

ટી 20 સિરીઝમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા બાદ દ્રવિડે કહ્યું, 'રિદ્ધિમાન સાહાએ જે કહ્યું તેનાથી મને દુઃખ નથી થયું.હું તેનું દિલથી સન્માન કરું છું અને તેણે ભારતીય ક્રિકેટમાં જે પણ યોગદાન આપ્યું છે તેની પ્રશંસા પણ કરું છું. તેમની સાથે મારી વાતચીત સ્પષ્ટતા અનેપ્રામાણિકતાના આધારે થઈ હતી.

મારું કામ નિખાલસ વાતચીત કરવાનું છે - રાહુલ દ્રવિડ

મારું કામ નિખાલસ વાતચીત કરવાનું છે - રાહુલ દ્રવિડ

દ્રવિડનું કહેવું છે કે, ઋષભ પંત પહેલાથી જ ભારતીય ટીમનો નંબર 1 વિકેટ કીપર બની ગયો છે અને બંગાળના દિગ્ગજ કીપર સાહ માટે આગળ તકો દેખાતી નથી.

દ્રવિડ વધુમાં કહે છે, 'હું એ જણાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે, ઋષભ પંતે પોતાને અમારા નંબર 1 વિકેટ-કીપર બેટ્સમેન તરીકે સ્થાપિત કર્યો છે અને મારો કહેવાનોઅર્થ એ છે કે હવે અમારી પાસે પંતના બેકઅપ તરીકે કેએસ ભરત જેવા યુવાનો વિકેટકીપરને પોલિશ કરવા માટે જોઈ રહ્યા છે. તેનો અર્થ એ નથી કે હું સાહાનું સન્માનનથી કરતો અથવા તેને નિરાશ કરવા માંગું છું. દ્રવિડ માને છે કે, તેનું કામ નિખાલસ વાતચીત કરવાનું છે, પછી ભલે તે ખેલાડીઓને પસંદ હોય કે ન હોય.

ખેલાડીઓને મારા શબ્દો ગમે તે જરૂરી નથી - રાહુલ

ખેલાડીઓને મારા શબ્દો ગમે તે જરૂરી નથી - રાહુલ

દ્રવિડનું માનવું છે કે, તે ખેલાડીઓ પાસેથી એવી અપેક્ષા પણ રાખતો નથી કે, તે તેમની સાથે જે વાતચીત કરશે તે હંમેશા ખેલાડીઓને પસંદ આવશે. કેટલીકવાર વાતકરવી મુશ્કેલ હોય છે, પરંતુ નિખાલસ બનવું તેના કરતાં વધુ મહત્વનું છે. તેથી તમે બહાર નીકળવાનો સરળ રસ્તો સાંભળી શકતા નથી. તમારે વાત કરવી પડશે અનેતે મુખ્ય કોચની વાત કરવાની શૈલી છે.

દ્રવિડ કહે છે કે, જ્યારે પણ પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવામાં આવે છે, ત્યારે તે દરેક ખેલાડી સાથે પહેલા પણ વાત કરે છેઅને આ તેમની કામ કરવાની રીત છે.

કડવું સત્ય કહેવું એ છૂપાવવા કરતાં સારું છે - દ્રવિડ

કડવું સત્ય કહેવું એ છૂપાવવા કરતાં સારું છે - દ્રવિડ

તેમણે કહ્યું કે, "હું હંમેશા આ પ્રકારની વાતચીતમાં વિશ્વાસ રાખું છું, પછી ભલે અમે કોઈ પણ પ્રકારની પ્લેઈંગ ઈલેવન પસંદ કરી રહ્યાં હોય અને ખેલાડીને તે પૂછવાનોપૂરો અધિકાર છે કે તેને શા માટે પસંદ કરવામાં આવ્યો નથી.

રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે, જો કોઈ ખેલાડીની પસંદગી ન થાય તો તે નારાજ થાય તે સ્વાભાવિક છે.કડવું સત્ય કહેવું એ છૂપાવવા કરતાં વધુ સારો વિકલ્પ છે. સૌથી સહેલો રસ્તો એ છે કે, ખેલાડીઓ સાથે તેના વિશે વાત ન કરવી પણ હું તે કરવા જઈ રહ્યો નથી, પરંતુએક તબક્કે ખેલાડીઓ પોતે સમજે છે કે, મેં તેમને આ વાત કેમ કહી?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X